પવનસુત
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. પવનસુત
તાઃ૧૩/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બોલો બજરંગબલી હનુમાન,એ છે પવનસુત બળવાન
સાચી ભક્તિના તારણહાર,એને શ્રી રામ ભક્ત કહેવાય
. ……………………બોલો બજરંગબલી હનુમાન
શ્રધ્ધા એ છે ભક્તિની કેડી,પ્રીત પરમાત્માથી મેળવાય
મુક્તિજીવને મળે પ્રેમથી.જ્યાં પ્રભુ રામની ભક્તિથાય
ગદા એતો છે તાકાત જીવની,જે દુષ્કર્મોને આંબી જાય
શીતળતાનો સદા સાથ મળે,જ્યાં પવનસુતને પુંજાય
. …………………….બોલો બજરંગબલી હનુમાન.
સિંદુરનો સંગાથ રાખતાં,જીવપર માસીતાજી રાજીથાય
અવગણતાને ઓવારે મુકતાં,પાલનહારની કૃપા થાય
ભક્તિ છે ભંડાર કૃપાનો.જે સાચી રાહ મળતા મેળવાય
મુક્તિદ્વારખુલેછે જીવના,જ્યાંબજરંગબલીની કૃપાથાય
. …………………..બોલો બજરંગબલી હનુમાન.
=====================================