ફરજના બિંદુ
ફરજના બિંદુ
તાઃ૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાનવીર દાતારની કૃપાએ,જીવને જન્મ મળી જાય
પામર દેહની અકળલીલા,સાચી ભક્તિએ છુટી જાય
…………દાનવીર દાતારની કૃપાએ.
આગમન અવની પર દેહનું, કર્મબંધનથી મેળવાય
સગપણનો સહવાસરહે,જ્યાં માયાની દ્રષ્ટિપડીજાય
વિચારના વમળમાં રહેતા,જીવનપણ વેડફાઇ જાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં ફરજના બિંદુ વહી જાય
………..દાનવીર દાતારની કૃપાએ.
દેહ મળતાં સંગ માબાપનો,ને મળે ભક્તિનો સંગાથ
અમૃત મળે જ્યાં દેહે જગમાં,જન્મ સાર્થક થઇ જાય
ના વળગે માયા જગતની,જેથી યુગે યુગેછે ભટકાય
ફરજની એક લહેર મેંળવતાં,આશીર્વાદની વર્ષાથાય
………..દાનવીર દાતારની કૃપાએ.
==============================