October 12th 2012

શીતળ પવન

.                        શીતળ પવન

તાઃ૧૨/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેર મળે ત્યાં,પાવન પહોર થઈ જાય
નિર્મળતાનાવાદળ વહેતા,જીવને શાંન્તિમાર્ગ મળીજાય
.                    …………………શીતળ પવનની લહેર મળે.
સરળ જીવનનીરાહ મળતાં,માનવ જન્મસાર્થક થઇજાય
સાચી શ્રધ્ધા એજ કેડી જીવનની,સુખ શાંન્તિ આપી જાય
મળે કદીના માયા જીવને,કે ના કદી મોહ આવી અથડાય
સરળજીવનની કેડી મળે જીવને,સાચી ભક્તિએ સહેવાય
.                   ………………….શીતળ પવનની લહેર મળે.
અંતરમાં જાગેલી ઉર્મીને,જલાસાંઇની કૃપાએજ મેળવાય
સાર્થક માનવજન્મ થાય જીવનો,ત્યાં કર્મબંધન છુટીજાય
શીતળતાના વાદળ વરસતાં,જીવથીઉજ્વળતામેળવાય
સાચી રાહ મળતાં જીવને,મળેલઆજન્મ સફળ થઇ જાય
.                   …………………. શીતળ પવનની લહેર મળે.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment