January 12th 2021

સાગરનો સંગાથ

%%%સહકારી બેંકો અને સંસ્થાઓના કરોડોના વહિવટ માટે જંગ | Jung for the administration of crores of co operative banks and institutions | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...%%%
.            .સાગરનો સંગાથ           
તાઃ૧૨/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમા,જે અનંત શાંંતિ આપી જાય
માતા સરસ્વતીની પાવનકૃપા મળી,જે કલમની પવિત્રરાહથી દેખાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
માનવતાની મહેંક પ્રસરી જીવનમાં,પ્રેમનાસાગરનો સંગાથ મળ્યોઅહીં
કલમની કેડી તો માતાની કૃપા,જે મનને પ્રેરણા મળતા લખાઈ જાય
સંગાથ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,અનેકરાહે કલમ ચાલતી થઈ
ના મોહ અડયો કે ના માયા સ્પર્શી,જે સત્માર્ગે સમજણ આપી જાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
આંગળીપકડી નિખાલસ પ્રેમીઓની,એ જીવનમા સરળ પ્રેમઆપી જાય
મળે મનને શાંંતિ સંગે કુદરતની પાવનકૃપા,જે જીવનને ધન્ય કરી જાય
ભુતકાળને ભુલીજતા જીવનમાં,પરમાત્મા આવતીકાલને ઉજવળ કરીજાય
એજ નિખાલસ પ્રેમ મળે કલમનો,જે માતાની પરમકૃપા થઈજ કહેવાય 
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
##########################################################

 

January 11th 2021

પ્રેમ સાગર

   રામાયણ : લવકુશ કાંડ બનાવવાના મૂડમાં ના હતા રામાનંદ સાગર, પછી ગયો હતો PMO થી ફોન |
.             .પ્રેમ સાગર                    

તાઃ૧૧/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અનંતપ્રેમની કૃપા થઈ માબાપની,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,એજ પરમાત્માનીજ કૃપા કહેવાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,એ મળેલદેહને શાંંતિ આપી જાય
પ્રેમ સાગરમાં રહેતા દેહને આનંદ મળે,જે નાકદીય અપેક્ષા રાખી જાય
મળ્યો પ્રેમ અવનીપર પવિત્રરાહે જીવતા દેહને,એજ જીવની છે લાયકાત
કર્મનો સંબંધ દેહને જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધા ભાવથી જીવન જીવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
નિખાલસ ભાવનાથી મળેલદેહને રાહમળે,એ જીવનમાં સરળતા આપીજાય
જીવને સંબંધ અનેક દેહથી અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
ના કોઈજ જીવથી છટકાય દેહથી,જે માનવી,પશુ,પક્ષીથી મળતો દેખાય
મળી ગયો જીવનમાં જ્યાં પ્રેમ નિખાલસ,એજ પ્રેમ સાગરમાં વહાવી જાય
....અદભુતલીલા સંત જલાસાંઈની કહેવાય,જે જીવનમાં પ્રેમસાગર વહાવી જાય.
**************************************************************
January 10th 2021

મળે જીવનમાં

++ મનની બીમારીઓથી છૂટવું હોય તો વિશ્વાસના ઔષધ સાથે હરિનાં શરણે રહેવાથી અહમ્-સંશયથી મુક્તિ મળે | નવગુજરાત સમય++

.           .મળે જીવનમાં    

તાઃ૧૦/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અવનીપરનુ આગમન છે જીવનુ,ગત જન્મે મળેલ દેહથી મેળવાય
થયેલકર્મ એજ કેડી જીવની,જે જીવને આવનજાવનથીજ સમજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મની કેડી મળે,સંગે નિર્મળતાથીજ જીવાય 
નાકોઇ અપેક્ષા દેહની રહે,જે પવિત્રરાહે જીવનનીરાહ આપી જાય
જીવને મળેલદેહનેસમયે કર્મ સ્પર્શી જાય,જે જીવનમાં કર્મ કહેવાય
જીવનમાં સમયને સાચવી ચાલતા,સત્કર્મની પાવન કેડી મળી જાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
આંગણે આવી પેમ મળે જીવનમાં,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
નિર્મળ ભાવના રાખી જીવન જીવતા,સમય સમયને સચવાઈ જાય
સત્કર્મની રાહ મળે જીવનમાં દેહને,જે પાવનરાહથી કૃપા થઈજાય
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનાદેહને સરળતા મળીજાય
.....શ્રધ્ધાભાવથી પરમાત્માની ભક્તિ,જીવનમાં કરાય જે કૃપા અપાવી જાય.
************************************************************
              .
January 9th 2021

અજબ કૃપાળુ

.          .અજબ કૃપાળુ   

તાઃ૯/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
અબજો વર્ષોથી અવનીપર,પવિત્ર સુર્યદેવ પ્રત્યક્ષ દર્શન આપી જાય
જગતમાં જીવતા દેહને સમયે,પ્રથમ સવાર પછી સાંજ મળતી જાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,જે જીવને જન્મમરણ દઈ જાય
અવનીપર આગમન થતા દેહને,નાતજાત મળે જે માનવીને સમજાય 
શ્રધ્ધા રાખીને ભક્તિરાહ પકડતા,દેહને મંદીર મસ્જીદ ચર્ચમાં જવાય
પત્યક્ષ પવિત્ર સુર્યદેવ છે જગતમાં,સવારસાંજથી અનંતકૃપા કરી જાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
સમયસમજી ચાલતો માનવદેહ,નિર્મળભાવનાએ કર્મનીકેડી પકડી જાય
જન્મ મળેલ દેહને પાવનકૃપા મળે,જ્યાં નિખાલસતાથી જીવન જીવાય
પવિત્ર સુર્યદેવથી સવાર પડતા,પ્રાર્થના કરી અર્ચના કરીને વંદન કરાય
એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય,સવારમાં વંદનકરતા દેહને સ્પર્શ થાય
.....એ અજબકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના દુનીયામાં પ્રત્યક્ષ દર્શન થાય.
#############################################################

 

January 8th 2021

ભક્તિ મળી ગઈ

ભક્ત 'તુકારામ' અને ભક્ત 'નામદેવના' પ્રેરણા પ્રસંગો | Events of devotees' Tukaram 'and devotees' Namdev's | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .ભક્તિ મળી ગઈ             

તાઃ૮/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
કુદરતની આકેડી જગતપર કહેવાય,જે મળેલદેહથી પાવનરાહ દઈજાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
અવનીપર આગમન થતા ઉંમર સ્પર્શી જાય,જે જુવાન થતા સમજાય
પાવનરાહને પામવાની તકમળે,જ્યાં વડીલના આશિર્વાદ મળતા થાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહને શાંંતિની કૃપા થાય
દેહને નાકોઇ અપેક્ષા કે માયા અડે,જે જીવનમાં પાવનકૃપા કરી જાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
નિર્મળભાવથી ભક્તિ કરી પ્રાર્થના કરતા,મળેલદેહનો સમય પાવન થાય
પરમપ્રેમથી ભક્તિની રાહ પકડતા જીવનમાં,શાંંતિનો સહવાસ થઈજાય
અવનીપર આગમન થતા જીવને મળેલદેહ,કર્મના સંબંધને સાચવી જાય
પવિત્ર ભાવનાએ જીવન જીવતા,જીવનમાં ભગવાનનીજ કૃપા થઈ જાય 
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                     

January 8th 2021

કૃપાનો પ્રેમ

@@@ ગુજરાતી કવિતા | Gujarati Kavita Sangrah | Best Gujarati Poems@@@

          .કૃપાનો પ્રેમ

તાઃ૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અજબશક્તિશાળી સુર્યદેહ કહેવાય,જગતમાં સવારસાંજ આપી જાય 
અબજોવર્ષોથી પૄથ્વીપર કૃપાનો પ્રેમ આપી,જીવોને જીવન દઈ જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
પરમાત્માની પાવનકૃપા જ કહેવાય,જે સુર્યદેવ થઈ દર્શન આપી જાય
પાવનકૃપાજ મળે મળેલ દેહને,જયાં જીવનમાં સવારસાંજ મળતી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે સુર્યદેવની કૃપાથીજ મળી જાય
પરમકૃપા સુર્યદેવની જગતપર,જે દરરોજ દીવસની ઓળખાણથી દેખાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
માનવ જીવનની શરૂઆત થાય,જ્યાં સુર્યદેવની કૃપાએ સવાર મેળવાય
પ્રત્યક્ષદેવની કૃપાથાય જગતપર,જે માનવજીવનને સવારસાજ આપીજાય
કર્મબંધન એ દેહનોસ્પર્શ અવનીપર,જે દેહને દીવસમાં કર્મ કરાવી જાય
પ્રભાતે સુર્યકિરણનો સાથ લેતા,જીવનમાં નાકોઇ આફતકેરોગ અડી જાય
.....એ પવિત્ર શક્તિશાળી પરમાત્મા કહેવાય,મળેલદેહને જીવન આપી જાય.
************************************************************

                 

January 7th 2021

વિરપુરના જલીયાણ

## #જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતી ઉજવાશે | networknewsgujarat.com###.

 .          વિરપુરના જલીયાણ                 
તાઃ૭/૧/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનકર્મની રાહ પકડીને વિરપુરમાં,પરમાત્માની પવિત્રકૃપા મેળવી જાય
એવા વિરપુરનાવૈરાગી જલારામ કહેવાય,સંગે પત્નિ વીરબાઈ ઓળખાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
મળેલ પ્રેમ પરમાત્માનો જીવનમાં,જે વિરપુરમાં નાકોઇ અપેક્ષાય રખાય
માનવદેહને સંબંધ ઠક્કર પરીવારનો,અવનીપર એકુળ આગળ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ સંસાર સાચવવા,મળેલદેહથી દુકાન ચલાવીજાય
સમય સંગે ચાલતા પરમાત્માએ આંગળી ચીંધી,જે અન્નદાનથી દેખાઈજાય 
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
પરમપ્રેમ મળ્યો પરમાત્માનો જલારામને,જે જીવનમાં તેમનાવર્તનથી દેખાય
પવિત્રસંગ મળ્યો પત્ની વિરબાઈનો.જે પરમાત્માની સેવા કરવા તૈયારથાય
પરમાત્માને સંતોષ થયો માગણીનો,એ વિરબાઈને ઝોળી દંડો આપી જાય
અજબકૃપા મળી પતિપત્નીના જીવને,જેની પુંજા પરમાત્મા સમજીને કરાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
##################################################################

 

January 7th 2021

શેરડી વાસી

          .શેરડી વાસી                                     
તાઃ૭/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપા શ્રી ભોલેનાથની કહેવાય,જે સાંઇબાબાથી શેરડી પધારી જાય
પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જેમને શેરડીમાં દ્વારકામાઈ મળી જાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
જગતમાં પવિત્રધર્મ એ શ્રધ્ધા છે,જે મળેલદેહને શ્રધ્ધાસબુરીથી સમજાય
હિંદુમુસ્લીમ એ દેહને સંબંધ અવનીપર,એ જીવને સમયેજ મળતો જાય
માનવદેહની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર ભાવનાએજ પ્રેમ અપાય
ભગવાન ભોલેનાથની પવિત્રકૃપા થઈ,જે સાંઇબાબાના દેહથી આવીજાય
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
મહારાષ્ટ્રના પાથરી ગામથી સમયે શેરડી આવ્યા,જ્યાં નિરાધાર કહેવાય
પવિત્ર દ્વારકામાઈની કૃપા મળી,પવિત્રરાહે એ સાંઈબાબાથી ઓળખાય
ના માન કે ના અભિમાન દેહને મળે,જે બાબાની પાવનરાહે કૃપા થાય
સરળજીવનનો સંગાથ મળે,જે હિંદુમુસ્લીમ ધર્મની નાઅડચણ આપીજાય  
.....એ પાવનકૃપા લઈને આવ્યા,જે જીવને નાતજાત છોડવા આંગણી ચીંધી જાય.
****************************************************************

 

     

January 6th 2021

પ્રભુનો પ્રેમ

ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .પ્રભુનો પ્રેમ 

તાઃ૬/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાળુ પ્રભુનોપ્રેમ મળી જાય
પાવનરાહ મળે દેહને પવિત્રકર્મથી,જે મળેલદેહને માનવતા દઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,મળેલદેહને એ પવિત્રરાહે લઈજાય
જીવને પવિત્રરાહ મળે કર્મની,એ નિર્મળ ભાવનાએ કર્મ કરાવી જાય
મળેલદેહને પ્રભુનો પ્રેમ મળી જાય,જે ભક્તિથી શાંંતિને આપી જાય
પવિત્ર શ્રધ્ધાએ પરમાત્માનુ પુંજન કરતા,અખંડપ્રેમ દેહને મળી જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
અદભુતલીલા પરમાત્માની થઈ,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
પવિત્રદેહ લઈને પધાર્યા ભુમીપર,એદેહથી જીવોને પાવનરાહ દઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એજ પરમાત્માની કૃપા કહેવાય
સરળ જીવનની રાહ પકડતા દેહપર,પ્રભુની કૃપાની વર્ષાજ થઈ જાય
....એ પવિત્રકૃપા ભક્તોપર થઈ જાય,જે પાવનકર્મ સંગે પ્રભુનો પ્રેમ મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 6th 2021

માતા લક્ષ્મી

               .માતા લક્ષ્મી                  

તાઃ૬/૧/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
પાવનકૃપા કરે જગતમાં દેહો પર,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય
જગતમાં માતા લક્ષ્મીથી ઓળખાય,એ વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
શ્રધ્ધા વિશ્વાસથી માતાને વંદન કરતા,તેમની કૃપાએ ધન વર્ષા થઈ જાય
મળેલદેહને જીવનમાં સુખ મળે,જે સમાજમાં મળેલદેહને પ્રેમ આપી જાય
વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મળી,જે માતાજીની પવિત્રપ્રેરણાથી દેખાય
અજબક્રુપાળુ માતા એ થયા અવનીપર,જે મળેલદેહોને સુખ આપી જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
પરમાત્માની એ પાવનકૃપા મળેલદેહ પર,જે પવિત્ર માતા લક્ષ્મીથી દેખાય
આરતી કરી અર્ચના સહિત વંદન કરતા,માતાજીની કૃપાનો અનુભવ થાય
અનંતશાંંતિ મળે જીવનમાં મળેલ દેહને,એ જીવનમાં નાતકલીફ મળીજાય
પરમપ્રેમાળ માતા છે અવનીપર,જે પવિત્ર ભારત દેશમાં જન્મ લઈ જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
*******************************************************************

 

 

« Previous PageNext Page »