May 13th 2021

પ્રેમની નિખાલસતા

 .         .પ્રેમની નિખાલસતા

તાઃ૧૩/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભક્તિની કરતા જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મળી જાય
મળેલ દેહ પર પાવનકૃપા થતા,જીવપર પવિત્ર નિખાલસપ્રેમની કૃપા થાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
પવિત્રકૃપા પ્રભુએ લીધેલ દેહથીજ મળે,એ ધરતીપર હિંદુમંદીરથી સમજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેહલઈ પવિત્રધર્મથી કૃપા કરી જાય
મળેલ માનવદેહને સમય સાથે ચલાવતા,નિખાલસ પ્રેમ જીવનમાં મળીજાય
એજ કૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશની ધરતીને પવિત્ર કરી જાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
થયેલકર્મનો સંબંધ છે જીવને અવનીપર,જે જન્મમરણથી દેહ મળતો જાય
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા કરાય
નિખાલસપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપથી પુંજન થાય
પાવનરાહ મળે માનવજીવનમાં દેહને,એજ પવિત્ર ભાવનાથી જીવનજીવાય  
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
****************************************************************