May 28th 2021

કૃપા મળી માતાની

***પ્રાપ્ત કરવા માંગો છો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ, તો વસંત પંચમીના દિવસે કરી લો આ ઉપાય | GUJARATI GYAN***

          .કૃપા મળી માતાની    

તાઃ૨૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમ પકડતા માતા સરસ્વતીની,પવિત્રકૃપા જીવનમાં મળી ગઈ
અદભુત કૃપાળુ માતા છે ભારતદેશમાં,જે ક્લમપ્રેમીઓથી દેખાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
માતા અનંત કૃપાળુ ભક્તપર,જે શ્રધ્ધાથી માતાને વંદન કરી જાય
કલમને સંબંધછે મગજથી,જે માનવદેહને માતાની કૃપાએ મેળવાય
પવિત્રકૃપાએ માનવીને પ્રેરણા મળે,જે રચનાથી વાંચકો ખુશ થાય
એ પાવનપ્રેમ માતાની કૃપાએમળ્યો,જે મનથી પવિત્ર લેખ લખાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
સરસ્વતીમાતાની પાવનકૃપા જીવને મળે,એ કુદરતનીલીલા કહેવાય
કલમ પકડતા માતા કૃપાકરે,જે રચનાને વાંચકોનો પ્રેમ મળી જાય
સંગીતની પાવનરાહ આપીછે,જે સંગીતકારોના સંગીતથી સંભળાય
અજબપ્રેમ જીવનમાંમળે શ્રધ્ધાથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુની પુંજાથાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
###########################################################

           

May 28th 2021

પ્રેમ પકડજે

.શું 'પહેલો પ્રેમ' ભૂલવો ખરેખર અશક્ય હોય છે? - Quora

            .પ્રેમ પકડજે

તાઃ૨૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રભાવનાથી જીવન જીવતા,મળેલદેહ પર પ્રભુનો પ્રેમ મળી જાય
જીવનમાં ના કોઇ તકલીફ અડે,કે નાકોઇ મોહમાયા પણ અડી જાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
અનેકકર્મનો સંબંધ દેહને જીવનમાં,જે દેહના સમયની સાથે ચાલી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં સ્પર્શે,કે ના કોઇજ માગણી પણ રહીજાય
પ્રેમથી આશિર્વાદમળે સંતાનને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ પવિત્રજીવનની રાહથી દેખાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
જીવનમાં કળીયુગની માયા આંગણેઆવે,નાઅપેક્ષાએ કાયમ દુર રહેવાય
સમયની પરખ રાખીને જીવતા મળેલ જીવનમાં,પરમાત્માનીજ કૃપા થાય
જે પવિત્રકૃપા પામવા જીવનમાં,માબાપને વંદન કરી આશિર્વાદ મેળવાય
શ્રધ્ધા રાખીને પ્રેમને પકડતાજ જીવનમાં.સુખનો સાગર વહેતો થઈ જાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
###############################################################