January 3rd 2022

માબાપનો પ્રેમમળે

.           .માબાપનો પ્રેમમળે

તાઃ૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં માબાપની પવિત્રકૃપાએ જીવને દેહ મળે,જે વ્હાલા સંતાનથી ઓળખાય
અવનીપર જીવનુ આગમન થાય,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
અવનીપર જીવનુ આગમન મળેલદેહથી થાય,એ માબાપનોકૃપાએ સંતાન કહેવાય
જગતમાં કોઇનીય તાકાત નથી કે જે જીવનેપકડી,અહીંતહીં સમયે ભટકાવી જાય
પરમાત્માનો પાવનપ્રેમ જીવનમાં માબાપપર કૃપા થતા,પરિવારને પવિત્ર કરી જાય
એ ભગવાનની કૃપા માનવદેહપર,જે મળેલદેહને પવિત્રભક્તિ જીવનમાં આપીજાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
સંતાનને માબાપના આશિર્વાદ મળે જીવનમાં,જે મળેલ દેહને ભણતર મળી જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,સંતાનને નાકોઇ તકલીફ કે આશા અડીજાય
સમયની સાથે ચાલતા સંતાનથી માબાપની,સેવાકરતા ના નિરાધાર થઈ રહીજાય
પવિત્ર આશિર્વાદથીજ સંતાનને પાવનરાહે,જીવનમાં કરેલકર્મથી પ્રભુની કૃપા થાય
....નાકોઇ જીવની કૃપા કે નાકોઇ દેહની તાકાત,જે જીવને જન્મમરણથી છોડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment