January 6th 2022
. .કલમની પાવનરાહ
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણામળે,જે જીવનમાં રચનાઓ કરાવી જાય
થયેલ રચનાનાવાંચકોને વાંચતા આનંદથાય,જે તેમની પ્રેરણાથી લખાઈજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
અવનીપર મળેલ માનવદેહથી,પરમાત્માએ લીધેલ અનેકદેહની પુંજાય કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ભગવાનના,કોઇપણદેહને ધુપદીપ કરીને વંદન થાય
મળેલ માનવદેહપર કૃપાકરવા ભારતમાં,હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મીજાય
કલમની પવિત્રરાહ આપવા,માતાસરસ્વતીથી જન્મી ભક્તોને પ્રેરણાકરીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
માતાની પવિત્ર પ્રેરણાથી કલાકાર થાય,જે સ્ટેજ અને ફીલ્મમાં આવી જાય
થયેલ રચનાથી મળેલ માનવદેહને,જીવનમાં કલાની અનેકરાહથી ખુશથવાય
જગતમાં કલાનીમાતા સરસ્વતીનીકૃપા થાય,જે માનવદેહને આનંદઆપીજાય
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમમળ્યો હ્યુસ્ટનમાં,એ મનેકલમથી રચના કરાવીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
###############################################################
No comments yet.