January 7th 2022

પ્રેમનેજ પકડજો

 મનગમતો પ્રેમ મેળવવા ઇચ્છો છો તો આ દેવી-દેવતાઓને કરો ખુશ | Lagni No Sambandh
.            પ્રેમનેજ પકડજો

તાઃ૭/૧/ ૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે સમયસાથે જીવને દેહથી લઈ જાય
માનવદેહ એજ જીવપર પાવનકૃપા કહેવાય,જગતપર જન્મથી આવીજાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
જગતપર મળેલદેહથીજીવનમાં નાકોઇથીછટકાય,કે નાકોઇઅપેક્ષા છોડાય
એ અદભુતલીલા ધરતીપર દેહને સ્પર્શી જાય,નાકોઇથી કદી દુર રહેવાય
માનવદેહથી અપેક્ષાને સાચવવા જીવનમાં,પ્રેમને પકડીનેજ જીવન જીવાય
જે દેહને નિખાલસપ્રેમ મળતા,પ્રભુની કૃપાએ મળેલદેહને સુખ મળી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
અવનીપર મળેલ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,ના કોઇ અપેક્ષા સમજાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે મળેલદેહને જીવનમાં પ્રેમ મળીજાય
પ્રેમ જગતમાં પવિત્રરાહ આપીજાય,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રખાય
જીવનમાં નિખાલસ પ્રેમ મળે સંબંધથી,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
===============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment