January 11th 2022
. .ભારતદેશને સલામ
તાઃ૧૧/૧/૨૦૨૨ (૨૬મી જાન્યુઆરી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
(આઝાદ દીન)
જનગણમન ગાઈને દેશને સલામકરાય,જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
શ્રધ્ધાથી દેશને આઝાદના દીવસે વંદન કરીને,વંદે માતરમ ગીતને ગવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જગતમાં,એ દેવદેવીઓની પુંજાકરી દર્શનકરાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જે અનેકરાહે દેશને પવિત્રરાહે લઈજાય
ધ્વજનેવંદનકરી સલામથી ભારતમાતાકીજય,બોલીને આઝાદદીવસ ઉજવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ભારતમાં,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ભારતની શાન વધારવા નેતા થયા,જેમણે કર્મથી મહેનતકરી જાય
મારો ભારતદેશ હિંદુધર્મથી છે મહાન,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
આઝાદીના પવિત્રદીવસે ભારતના ધ્વજને,સલામ કરીને વંદેમાતરમ બોલાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
################################################################
No comments yet.