January 18th 2022

પાવન જ્યોત પ્રેમની

+++ખોડિયાર બાવની …… | પરાર્થે સમર્પણ+++
.           પાવન જ્યોત પ્રેમની

તાઃ૧૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ
         
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,એ મળેલ માનવદેહપર કૃપાકરીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ પવિત્રકર્મની રાહ આપી જાય
જીવનેસમયે દેહમળે,જે પ્રાણીપશુ જાનવરપક્ષીઅને મનુષ્યથી મળતો જાય
માનવદેહ એભગવાનની કૃપા,જેને જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
પવિત્ર પ્રેરણા પ્રભુનીજ મળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મજ કરાવી જાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
જગતમાં ભારતદેશનેજ પવિત્રકર્યો ભગવાને,જે હિંદુધર્મની જ્યોત પ્રગટીગઈ
અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપથીપુંજા થાય
પવિત્રજીવે દેહ લીધો ભારતમાં,જે દેહને હિંદુધર્મમાં ભગવાનથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળેલમાનવદેહપર,જે કૃપાએ જીવને મુક્તિ મળીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment