January 29th 2022
. પકડજો પવિત્રપ્રેમને
તાઃ૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
જગતમાં ના કોઇજ દેહની તાકાત,કે સમયને પકડીને કોઇથી ચલાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
અવનીપર અનેકદેહનો સંબંધછે,જે જીવને ગતજન્મના કર્મથીમળી જાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા મળે,બીજા અનેકદેહ નિરાધાર કહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરપક્ષીનો દેહમળે,માનવદેહએકૃપાએ મળે
મળેલ માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા,જેને જીવનમાં કર્મ પણમળી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પ્રભુની પુંજા એ ઘરમાં માનવદેહથી કરતા,પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,દેહને પરિવારનો પ્રેમ પણ મળીજાય
શ્રધ્ધારાખીને પકડજો પવિત્રપ્રેમ પરમાત્માનો,જીવનમાં સુખ આપી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
###############################################################
No comments yet.