January 4th 2023

પાવન રાહ જીવનની

******
.          પાવન રાહ જીવનની   

તાઃ૪/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
જગતપર જીવને જન્મમરણનો સંબંધ સમયે,દુનીયામાં નાકોઇ જીવથી દુર રહેવાય
આ અદભુતલીલા ભગવાનની અવનીપર,જે જીવને આગમનવિદાયથી અનુભવથાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,સમયે જીવને માનવદેહ સંગે નિરાધારદેહ મળે
પરમાત્માની આ લીલા જીવપર,જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળી જાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવાની પ્રેરણામળે,જે દેહથી જીવનમાં કર્મકરાય
જીવનમાં ભગવાનની પાવનકૃપાએ દેહપર કૃપા થાય,જે જીવનમાં ભક્તિ આપીજાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને અનેકરાહે જીવન જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા અને ભક્તિ કરાય,એ દેહને કર્મની રાહ આપી જાય
માનવદેહથી ધરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને,ભગવાનને વંદન કરીને આરતી ઉતારાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
#########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment