January 8th 2023

પાવનરાહ સમય

  
.            પાવનરાહ સમયની

તાઃ૮/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રરાહથી મળેલ માનવદેહને જીવનમાં,પરમાત્માની કૃપાએ સત્કર્મનો સંગાથ મળે
જીવનમાં અનેકકર્મનો સંગાથ મળે માનવીને,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
સમયનીસાથે ચાલવા જીવના મળેલ માનવદેહને,કુદરતનીકૃપાએ પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં બાળપણ જુવાનીઅને,અંતે મળેલદેહને ઘડપણથી જીવનજીવાય 
અદભુતલીલા ભગવાનની સમયેધરતીપર,જે જીવને જન્મમરણથી આગમનવિદાય થાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,નાકોઇ દેહના જીવથી કદીય દુર રહેવાય 
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
જગતમાં પરમ પવિત્રકૃપા સુર્યદેવનીજ કહેવાય,જે દીવસને સમયે સવારસાંજ આપીજાય
માનવદેહને પવિત્રરાહે ચાલવા સવારે સુર્યદેવને નમન કરી,પાણીથી અર્ચના કરાઇ જાય
પવિત્રકૃપાએ દેહને જીવનમાં સવારસાંજની પુંજા કરાય,અંતે ઘરમાં ભજન ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાનને ઘરમાં ધુપદીપ કરીપુંજાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment