March 19th 2023

કૃપામળે ભગવાનની

 
.              કૃપામળે ભગવાનની  

તાઃ૧૯/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જગતમાં અનેકદેહનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળી જાય
પરમાત્માની પાવનકૃપાએ સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી મળતોજાય
.....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીક્રુપા મળે,જે શ્રધ્ધાથી જીવનજીવાય
પાવનકૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એમળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના કર્મથીમળે,જે સમયે જીવને મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલમાનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
જગતમાં પવિત્રકૃપામળે અવનીપર જીવને,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડીજાય
પવિત્રદેશકર્યો ભગવાને ભારતદેશને,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી આગમનઆપીજાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખી પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવી ઘરમાં આરતી કરાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment