આંગળીનો અણસાર
આંગળીનો અણસાર
તાઃ૨/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક આંગળી કરતાં કોઇને,સમજવામાં જ છે સાર
ત્રણ પોતાની તરફ,એ વિચારે એજ છે સમજદાર
……… એક આંગળી કરતાં કોઇને.
સારું કામ કરવું જીવનમાં,એ છે સંસ્કારનો પ્રભાવ
આંગળી કોઇને ના ચીંધાય,એ છે પુણ્યનો પ્રતાપ
……….એક આંગળી કરતાં કોઇને.
સમજ સાચી આવે જીવે,ત્યાં પરમાત્માય હરખાય
ના મિથ્યા જીવનથાય,જ્યાંપ્રેમે જલાસાંઇ ભજાય
……….એક આંગળી કરતાં કોઇને.
કર્મ જીવના જ બંધન છે,જે તન જગે દઇને જાય
વાણી વર્તન સેવા ભક્તિ,સત્કર્મથી સહેવાઇ જાય
……….એક આંગળી કરતાં કોઇને.
મારાની મમતા રાખતા જગમાં,દેહ જકડાઇ જાય
વ્યાધીબારણું ખોલીજાય,ત્યાં જીવન વેડફાઇ જાય
………. એક આંગળી કરતાં કોઇને.
આંગળીદીધી પરમાત્માએ,જેનાથી પુંજનઅર્ચનથાય
જીવને મળી જાય શાંન્તિ,ત્યાં જન્મ મરણ છુટી જાય
……….એક આંગળી કરતાં કોઇને.
+++++++++++++++++++++++++++++++++