May 4th 2010

પ્રભુની ઓળખ

                        પ્રભુની ઓળખ

તાઃ૪/૫/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી આંગળી ચીંધાય,કે ના કોઇથી એ દેખાય
સૄષ્ટિના કર્તાની અજબલીલા,જે કૃપા થકી મેળવાય
                         …………ના કોઇથી આંગળી ચીંધાય.
અવનીપર આવેલ આ દેહને,કર્મ જન્મનો છે હિસાબ
કેવો,ક્યાંથી આવ્યોજીવ,એતો તેના વર્તનથી દેખાય
પરમાત્માની આઅકળલીલા,ના કપડાંથી ઓળખાય
સાર્થકજીવન કરવા જીવથી,સાચી માનવતા વર્તાય             
                          …………ના કોઇથી આંગળી ચીંધાય.
લાકડી ટેકો મળતાં દેહને,ચાલવાનું સરળ થઇ જાય
ભક્તિકેરા ટેકાથી જીવ જગે,પવિત્ર કર્મ કરતો જાય
માળા એ સહવાસબને,ને પુંજન અર્ચન એ સથવાર
સાથે આવેએ જીવની જગે,જ્યાં પ્રભુની ઓળખ થાય
                            ………..ના કોઇથી આંગળી ચીંધાય.

————————————————

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment