ભક્તિનું પરિણામ
ભક્તિનું પરિણામ
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ એ તો બારણુ છે,ને પુંજન તો છે સોપાન
જન્મ મળતા જીવને જગમાં.મળી જાય સથવાર
…………ભક્તિ એ તો બારણુ છે.
સાર્થક જીવનનો સંકેતમળે,જ્યાં મળી જાય કરતાર
ડગલે પગલે સ્મરણરહે,ને ત્યાં પ્રભુ ભક્તિ સહવાય
મનને શાંન્તી આવી મળે,જ્યાં કીર્તન અર્ચન થાય
દેહને મળતી વ્યાધી ટળે,ને આ જન્મ સાર્થક થાય
………..ભક્તિ એ તો બારણુ છે.
કુદરતની આ કરુણા ન્યારી,જે માનવદેહે જ લેવાય
ક્યાંથી મળશે તે સૌ જાણે,ક્યારે મળશે તે ના જાણે
અબજલીલા આઅવિનાશીની,જે ભક્તિએ મેળવાય
ના આવે વ્યાધી આ બારણે,ને તકલીફો ભાગી જાય
………..ભક્તિ એ તો બારણુ છે.
==============================