રવિ અને કવિ
રવિ અને કવિ
તાઃ૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જતન જીવના કરતા પ્રભુજી,ના મળે કોઇ અણસાર
પામર જીવ પણ સરળ રહે,જ્યાં રવિ કવિ સહવાય
………જતન જીવના કરતા પ્રભુજી.
પ્રભાતના કોમળકિરણો દીસે,જે જગે ઉજ્વળતાજ દે
જાગી જગતમાં જીવો ફરે,પાવન જીવન કરવા છેક
કિરણ ઉજ્વળતાના દેવાને,પ્રભાતને સંધ્યા રવિ કરે
કુદરતની આ ન્યારી લીલા,પ્રભુ કૃપાએ જ મળી રહે
…………જતન જીવના કરતા પ્રભુજી.
માની કૃપા અતિ દયાળુ,જે બુધ્ધીની સંગી બની રહે
ઉદય અસ્તનો સંબંધ રવિને,કવિને કોઇ ના કળી શકે
શબ્દોના સહવાસમાં જગતમાં,સૌનો પ્રેમએ મેળવીલે
નાપહોંચે જ્યાં રવિ જગતમાં,કવિતો ત્યાં પહોંચી જશે
………….જતન જીવના કરતા પ્રભુજી.
================================