May 7th 2010

શબ્દની સમજ

                    શબ્દની સમજ

તાઃ૭/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

             શ્રી  જલારામ  બાપા અને શ્રી સાંઇબાબા.

      આ બંન્ને સંતો ભારતમાં થઇ ગયા છે.એક વિરપુરમાં
અને બીજા શેરડીમાં.શ્રી જલારામને બાપા કહેવાય છે અને
શ્રી સાંઇ ને બાબા કહેવાય છે.આ બંન્ને શબ્દ સરળ છે પણ
તેનો અર્થ સમજતાં ખ્યાલ આવશે કે એ શબ્દ જે તે યોગ્ય
સંતને બોલાય છે.
      શ્રી જલારામે સંસારમાં રહી પત્ની સહિત ભગવાનની
સેવા કરી છે.એટલે પતિપત્નીનો જ્યાં સહવાસ હોય ત્યાંજ
સંતાનનો પ્રેમ મળે છે.જો બા ન હોય તો પિતાની કોઇ જ
કિંમત નથી કારણ બાએ જન્મદાતા છે.એટલે જે સંસારમાં
છે તેને જ તે શબ્દનો સ્પર્શ છે.જલારામે જ્યારે પોતાના
પત્ની વિરબાઇને ધરડા સાધુની સેવા કરવા જવા કહ્યુ ત્યારે
વિરબાઇ માતાને મળેલ સંસ્કારને લીધે તેમના પતિએ આજ્ઞા
કરી તે સ્વીકારી કોઇપણ જાતના વિવાદ વગરસેવા કરવા ગયા.
એટલે કે સંસારમાં રહી પરમાત્માને હરાવ્યા સાથે બા અને પા
નો સમ્બંધ સચવાયો તેથી શ્રી જલારામનેસંત શ્રી જલારામબાપા
કહેવાય છે.
         તેવી જ રીતે શેરડીનાસંત શ્રીસાંઇ જેમનુ અસ્તીત્વ હતુ
છતાં દુનીયાની કોઇ વ્યક્તિની તાકાત નથી કે તે બતાવી શકે કે
તેમના માબાપ આ હતા? જગતનું સત્ય એછે કે સાંઇ એ અલ્લાહ
અને ઇશ્વરને એક બતાવ્યા છે.જેમ બા એ પુત્ર અને એના પૌત્રોને
પ્રેમ આપી સદમાર્ગે દોરે છે.તેમ તેમણે જગતના જીવોને દોર્યા છે.
તેમને સંસારનો કોઇ સહવાસ ન હતો ના તેમને પત્ની હતી કે ના
તે પિતા હતા છતાં તેમણે જીવોને પ્રભુ ભક્તિ તરફ દોર્યા છે.
જે રીતે તેમના જન્મની કોઇ નિશાની નથી તેમ તેમના દેહ મુક્યા
પછીનો કોઇ પ્રસંગ નથી.
            તેથી સાંઇને શ્રી સાંઇબાબા કહેવાય છે અને જલારામને
શ્રી જલારામ બાપા કહેવાય છે.
          આ બંન્ને શબ્દો સરળ છે પણ આ સંતો માટે જે વપરાય
છે તે આ સમજ છે.બાપા એટલે સંસારના સહવાસી અને બાબા
એટલે અલૌકિક પ્રેમ.

                      =============

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment