May 20th 2010

કર્મનો હિસાબ

                        કર્મનો હિસાબ

તાઃ૨૦/૫/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં,શ્રધ્ધાથી જ મેળવાય
મરણ આંગણે આવે જ્યારે,ના સ્મરણ પ્રભુનુ થાય
                       ……….સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
હિસાબ કોડી કોડીનો થાય,ના કોઇથીય છે છટકાય
કર્મ કરેલા સંગે ચાલે,રાજા રંક ગરીબ કે ધનવાન
જન્મ મળેલ જીવને જગમાં,મૃત્યુ જરૂર મળશે એક
વાણી વર્તન દેહને સ્પર્શે,જે આવશે જીવનમાં છેક
                      ………..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
માળા કરતાં જો મોહ નાછુટે,તો જીવન થાશે વ્યર્થ 
અંતરથી જ્યાં થાય ભક્તિ,ત્યાં પ્રભુ કૃપા સહવાય
દુનીયાના દેખાવ અનેક,જે અધોગતીએ લઇ જાય
મોહમાયા છે કળીયુગનીદ્રષ્ટિ,ભક્તિથી ભાગી જાય
                         ……..સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.
કરુણા મળશે શ્રી રામની,જ્યાં સાચા સંત મેળવાય
જલાસાંઇની ભક્તિસાચી,જ્યાં જીવને મુક્તિ દેખાય
અતુટ બંધન સંસારની સાંકળના,ના કોઇથી તોડાય
આવે આંગણે શ્રીરામ,એ જ કર્મનો  હિસાબ કહેવાય
                        ………સાચી શક્તિ પ્રભુ ભક્તિમાં.

###############################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment