મન મંદીર
મન મંદીર
તાઃ૨૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન માગુ પ્રભુથી,ને શાંન્તિનો સથવાર
મનમંદીરના બારણે આવી,દેજો ભક્તિના સોપાન
……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
સુર્યોદયના પ્રથમ કિરણે,ખોલુ હું મારા ઘરના દ્વાર
ઉજ્વળતાની કૃપા પામીને,સુખી થાય મારો સંસાર
જલાબાપાની ભક્તિ મળે ને,સાંઇબાબાનો મળે પ્રેમ
માગણી મારી પરમાત્માથી,જીવને દેજો ભક્તિ દ્વાર
…………ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
કરુણાસાગર તો છે દયાળુ,જગના જાણે સૌ નરનાર
ધુપદીપના સંગેરહેતા,પામે ઉજ્વળ જીવના સંતાન
ખુલીજાય મનમંદીરના દ્વાર,લાગીપાયે પ્રભુને આજ
જન્મ મરણના બંધન છોડી,શરણે પ્રભુને રહેવા કાજ
……….ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
નીતિઅનીતિ થાય આદેહે,માફ કરજો મારા ભગવાન
સંતાનની ભુલને માફકરીને,બતાવજો ઉજળા સોપાન
દીન દયાળુ છો બલીહારી,મુંઝવણ કરજો દુર અમારી
મનમંદીરમાં સદા બીરાજી,દેજો પ્રભુજી શાંન્તિ અનેરી
………..ઉજ્વળ જીવન માગુ પ્રભુથી.
+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+