મનની હાલત
મનની હાલત
તાઃ૨૭/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયા મને મોહ માયા,કળીયુગના આ તાલે
શીતળ સ્નેહની દ્રષ્ટિને ખોતાં,ચડી ગયુ એ રવાડે
………..મળી ગયા મને મોહ માયા.
મન લગાવી મહેનત કરતો,ભણતો જ્યારે સ્કુલમાં
એકડો બગડો સમજી લેતો,ત્યાં તગડો હું ઘુંટી લેતો
સમજ મારા મનથી રાખી, ભણતર હું મેળવી લેતો
ભુલચુકને સુધારી જીવનમાં,હું ઉજ્વળ રાહ પકડતો
………..મળી ગયા મને મોહ માયા.
સહવાસ મળ્યો જ્યાં અનેકનો,મનને મુંઝવણ થઇ
સમજની ના ચિંતા કરતો,જે પાટે ગાડી ચાલે ભઇ
સમયની સાથે પકડાઇ રહેતા,વ્યાધીઓ વધી ગઇ
કળીયુગની આઅસરમાં,મનની હાલત બગડી અહીં
……….મળી ગયા મને મોહ માયા.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$