જગબંધન
. .જગબંધન
તાઃ૬/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળ્યો અવનીએ જીવને,જે કર્મની કેડીએજ સમજાય
વિચારના વમળમાં નારહેતા,જીવથી જન્મસફળ મેળવાય
. ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
મળતા પ્રેમ માબાપનો,સંતાનનું જીવનઉજ્વળ થઈ જાય
આશીર્વાદ અંતરથી મળતાં,સાચી રાહ જીવને મળી જાય
ઉજ્વળતાના સોપાન મેળવતાં,પાવન કર્મ જીવનમાંથાય
અંતરમાં નાકોઇ અભિલાષાઅટકે,નાવ્યાધી કોઇ અથડાય
. ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
સફળતાનોસંગ મળતાંજીવને,સિધ્ધિના સોપાન મળી જાય
માગણી પહેલા મળી જાય,એજ કૃપા જલાસાંઇની કહેવાય
શ્રધ્ધા એજ જીવનનો પાયો,જે સાચી ભક્તિથીજ મેળવાય
જન્મમરણના બંધન છુટતાં,જીવને સાચી રાહ મળી જાય
. ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
=======================================