October 21st 2012

ચરણ પાદુકા

.                      ચરણ પાદુકા

તાઃ૨૧/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં મળતા માનવ દેહ,જીવ પર પ્રભુ કૃપા કહેવાય
સમજણ સાચી જાણીજીવતાં,આજન્મ સફળ થઈ જાય
.                      …………………જગમાં મળતા માનવ દેહ.
શરણું પરમાત્માનું લેવા,સાચા સંતને પ્રેમે વંદન થાય
જલાસાંઇનીજ્યોત છે ઉત્તમ,જે પ્રભુચરણમાં લઈજાય
ભક્તિ દોર મળે જ્યાં સાચો,જીવે માનવતા પ્રસરીજાય
જન્મ મરણની અકળ લીલા,સાચી શ્રધ્ધાએ છુટી જાય
.                       ………………..જગમાં મળતા માનવ દેહ.
ચરણ પાદુકા જલાસાંઇની સ્પર્શતા,જીવન પવિત્ર થાય
મળેપ્રેમ જગતમાં માનવતાનો,જે સાચીરાહ  આપીજાય
નિર્મળતાની એક જ કેડી મળતા,પ્રભુની કૃપા વર્ષા જાય
સરળજીવનમાં સાચીકેડી,એ જીવની ઉજ્વળતા કહેવાય
.                       ………………….જગમાં મળતા માનવદેહ.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment