ચરણ પાદુકા
. ચરણ પાદુકા
તાઃ૨૧/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં મળતા માનવ દેહ,જીવ પર પ્રભુ કૃપા કહેવાય
સમજણ સાચી જાણીજીવતાં,આજન્મ સફળ થઈ જાય
. …………………જગમાં મળતા માનવ દેહ.
શરણું પરમાત્માનું લેવા,સાચા સંતને પ્રેમે વંદન થાય
જલાસાંઇનીજ્યોત છે ઉત્તમ,જે પ્રભુચરણમાં લઈજાય
ભક્તિ દોર મળે જ્યાં સાચો,જીવે માનવતા પ્રસરીજાય
જન્મ મરણની અકળ લીલા,સાચી શ્રધ્ધાએ છુટી જાય
. ………………..જગમાં મળતા માનવ દેહ.
ચરણ પાદુકા જલાસાંઇની સ્પર્શતા,જીવન પવિત્ર થાય
મળેપ્રેમ જગતમાં માનવતાનો,જે સાચીરાહ આપીજાય
નિર્મળતાની એક જ કેડી મળતા,પ્રભુની કૃપા વર્ષા જાય
સરળજીવનમાં સાચીકેડી,એ જીવની ઉજ્વળતા કહેવાય
. ………………….જગમાં મળતા માનવદેહ.
+++++++++++++++++++++++++++++++