October 24th 2012

દશેરા

.

 

 

 

 

 

 

.

.

.

.

.

.

.

.                       દશેરા

તાઃ૨૪/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના નવ દિવસ બાદ,હવે દશેરા આવી જાય
હિન્દુના આ તહેવારે ભક્ત રાવણને,રામ મારી જાય
.               ………………….નવરાત્રીના નવ દિવસ બાદ.
ભોલેનાથની ભક્તિ કરીને,શ્રધ્ધાએ કૃપા મેળવીજાય
સાચી ભક્તિ મનથી કરીને,ભોલેનાથને રીઝવી જાય
માગી લીધીતી માયાજગતની,જે સૌને ભડકાવી જાય
અજબશક્તિ મળતાં ભોલેની,અભિમાને એ જીવીજાય
.              …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
ઉજ્વળ જીવનમાં રાજા રાવણે,અહંકારની લીધી કેડી
માતા સીતાનું હરણ કરીને,તેણે રામની પરીક્ષા કીધી
અહંકારની કેડીને જોતાં,નારાયણે શ્રીરામનુ રૂપ લીધુ
સંત રાવણનુ દહનકરીને જગતમાં,દશેરાનુ પર્વ દીધુ
.              …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.

********************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment