દશેરા
.
.
.
.
.
.
.
. દશેરા
તાઃ૨૪/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના નવ દિવસ બાદ,હવે દશેરા આવી જાય
હિન્દુના આ તહેવારે ભક્ત રાવણને,રામ મારી જાય
. ………………….નવરાત્રીના નવ દિવસ બાદ.
ભોલેનાથની ભક્તિ કરીને,શ્રધ્ધાએ કૃપા મેળવીજાય
સાચી ભક્તિ મનથી કરીને,ભોલેનાથને રીઝવી જાય
માગી લીધીતી માયાજગતની,જે સૌને ભડકાવી જાય
અજબશક્તિ મળતાં ભોલેની,અભિમાને એ જીવીજાય
. …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
ઉજ્વળ જીવનમાં રાજા રાવણે,અહંકારની લીધી કેડી
માતા સીતાનું હરણ કરીને,તેણે રામની પરીક્ષા કીધી
અહંકારની કેડીને જોતાં,નારાયણે શ્રીરામનુ રૂપ લીધુ
સંત રાવણનુ દહનકરીને જગતમાં,દશેરાનુ પર્વ દીધુ
. …………………..નવરાત્રીના નવ દિવસ બાદ.
********************************************