June 19th 2017

સગપણ

...Image result for સગપણ...
.            .સગપણ 
તાઃ૧૯/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીપર,એ જીવના કર્મના બંધન જ કહેવાય
આગમન ને વિદાયએ જીવના સંબંધ,પરમાત્માની કૃપાએ સચવાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
માનવદેહ મળે જીવને માબાપની કૃપાએ,જે કુટુંબના સંબંધ દઈ જાય
બાળપણ જુવાનીને ઘૈડપણએ સ્પર્શે દેહને,એ સમયથી પરખાઈ જાય
જીવને મળેલ દેહને સગપણ અવનીપર,જે આગમન થતા મળતો જાય
નિર્મળજીવન જીવતા સંગે કૌટુંબીક સંબંધ,એ માનવતાને સ્પર્શી જાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
અનેકદેહ અવનીપર આવે જાય,એ જીવને કર્મના બંધનથી મળી જાય
સગપણ દેહના મળે આગમને,ને પરમાત્માનીકૃપાએ સત્કર્મ દેહથી થાય
પવિત્રકર્મ એ મળેલ દેહને શાંંન્તિ આપે,જે જલાસાંઇની રાહે લઈ જાય
અવનીપર આગમનવિદાયના બંધન છુટે,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
=========================================================
June 19th 2017

શ્રી શંકરનાથ

...Related image...
.          .શ્રી શંકરનાથ    

તાઃ૧૯/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે પરમાત્મા,અનેક નામોથી અવનીએ ઓળખાય
અવનીપરના પવિત્ર જીવો પર એકૃપા કરે,અંતે ભોલેનાથ પણ કહેવાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
ૐ નમઃ શિવાયના મંત્ર જાપથી,જીવને અવનીપર પરમકૃપા મળી જાય
પરમ શ્રધ્ધા ભોલેનાથની રાખતા,માતા પાર્વતીના આશિર્વાદને મેળવાય
સોમવારની પવિત્ર સવારે પુંજન કરતા,નાકોઇ આફત જીવને ઘેરી જાય
શ્રી શંકર ભોલેનાથની અજબકૃપા છે,જે અનેક નામથી વંદન થઈ થાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શિવલીંગને શ્રધ્ધાએ દુધઅર્ચના કરતા,પાવનરાહ પ્રભુ ભોલેનાથથી લેવાય
માતા પાર્વતીને સંગે પુત્ર શ્રીગજાનંદ ગણપતિ,પરમપ્રેમની વર્ષા કરી જાય
અવનીપરનુ આગમન એકર્મબંધન,જે શ્રી ભોલેનાથની કૃપાએ છુટી જાય
જીવનાબંધન અવનીપર આવનજાવનના,જે પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
==============================================================
June 18th 2017

બંધન જીવના

            .બંધન જીવના

તાઃ૧૮/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમની પાવન રાહ મળે જીવને,જે મળેલ દેહને શાન્તિ આપી જાય
સરળ જીવનની જ્યોત પ્રગટતા,જીવને મળેલજન્મ પાવન થઈ જાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
પવિત્રકર્મથી જીવનમાં પ્રભુની ભક્તિએ,અજબકૃપાની વર્ષા થઈ જાય
મળેલદેહને છે કર્મના બંધન,જે અવનીપર આવન જાવનથી સમજાય
કુદરતની આજછે લીલા જગતમાં,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય
ના મોહ કે કોઇ માયા સ્પર્શે દેહને,જે જલાસાંઈની કૃપા એજ દેખાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પળે પળ પરમાત્માની દ્ર્ષ્ટિ થઈ જાય
વિચારના વાદળ દુર રહેતા જીવનમાં,ના આફત કોઇ જીવને અડી જાય
પરમ શાંંતિ મળે જીવને કૃપાએ,જ્યાં સરળપ્રેમ સંબંધીઓનો મળી જાય
રામનામની માળા જપતા જીવનમાં,અનંતકૃપાએ જીવને પાવન કરી જાય
.....એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પાવનકર્મથી જીવન જીવી જવાય.
========================================================
June 17th 2017

બાહુબલી

Image result for હનુમાન
.            .બાહુબલી   

તાઃ૧૭/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે અવતાર,જે પ્રભુ શ્રીરામને સંગાથ આપી જાય
ગદાધારીને ચાલતા અવનીએ,હાથમાં મંજીરા જોઇ પરમાત્માય હરખાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પરમાત્માનો દેહએ શ્રીરામથી ઓળખાય,સંગે સીતાજી પણ આવી જાય
પરમકૃપાળુ ભોલેનાથની ભક્તિએ,રાવણ લંકામાં અભિમાન મેળવી જાય
ભક્તિની શક્તિને પારખી લેતા,શ્રી રામનો અવતાર અવનીએ થઈ જાય
બાહુબલીની અજબશક્તિ છેઅપરંપાર,જે રાજારાવણની મતીને અડીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
પવિત્ર જીવન શ્રીરામ સંગે જીવતા,માતાસીતાજી પણ સંસ્કાર આપી જાય
પાવનરાહને પકડી જીવન જીવતા,રાજા રાવણ સીતામાતાને ઉઠાવી જાય
અયોધ્યામાંથી માતાને લઈને,શ્રી લંકામાં લાવીને જીવનમાં ભટકાવી જાય
ત્યાંજ બાહુબલીની શક્તિએ શોધતા,અંતે રાવણનુ દહન પણએ કરીજાય
......એવા પવિત્રદેહ ધારી બજરંગબલી,શ્રી હનુમાન બાહુબલીય કહેવાય.
=======================================================

 

June 15th 2017

જય ગંગામૈયા


.          .જય ગંગામૈયા

તાઃ૧૫/૬/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================
June 15th 2017

લાગણી કે માગણી

.         .લાગણી કે માગણી  

તાઃ૧૫/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર પાવન રાહ મળે જીવને,જ્યાં અંતરથી લાગણીએ પ્રેમ થાય
કળીયુગ કેરી ચાલમાં રહેતા,જીવને અપેક્ષાસંગે માગણી અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સફળતાની કેડી મળે દેહને,જ્યાં સંબંધીઓની લાગણી સ્પર્શી જાય
નિર્મળ લાગણી એજ સ્પર્શે જીવને,જે થતા અનુભવથી જ સમજાય
મળેલ દેહને કૃપાજ સમજતા અવનીએ,સફળતાના વાદળ અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
સમય સ્પર્શે જ્યાં દેહને અવનીપર,ત્યાં જીવની માગણી વધતી જાય
અપેક્ષાનો સંગાથ રહેતા દેહને,પળેપળ તકલીફોજ અડતી થઈ જાય
મોહ લાગે જ્યાં માગણીનો જીવનમાં,ત્યાં નાકોઇ સત્કર્મ પણ થાય
લાગણી માગણી એજ સ્પર્શ જગતમાં,સમયથી સાંકળેજ જકડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
======================================================
June 14th 2017

ગોવિંંદ ગોપાલા

.Image result for ગોવિંદ ગોપાલા.
.          .ગોવિંદ ગોપાલા   

તાઃ૧૪/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ગોવિંદ ગોપાલા છે દ્વારકા નંદન,જગતમાં શ્રીકૃષ્ણથીય ઓળખાય
ગોપીઓના વ્હાલા જગતગોપાલા,માજશોદાના નંદન પણ કહેવાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પવિત્ર માર્ગના સંગે અવનીએ,અજબ શક્તિ શાળી કૃપા દઈ જાય
પાવન જીવનનીરાહ બતાવી છે જીવોને,જે મુક્તિ માર્ગ આપી જાય
કૃષ્ણ કનૈયાના નામથી આગમન થતા,ગોપીઓના ગરબા શરૂ થાય
અનેક જીવોને નિર્મળ પ્રેમ બતાવી,અવનીપર પ્રેમની વર્ષા કરી જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પ્રેમની પવિત્રકેડી રાધાજીથી મળી ગઈ,જગતમાં પવિત્ર જોડી કહેવાય
નિર્મળ રાહ લઈને જીવન જીવતા,પાવન પ્રેમની ગંગા વહેવડાવી જાય
પરમાત્માનુ આગમન થયુ દ્વારકામાં,જે માનવ જીવન પવિત્ર કરી જાય
જયશ્રીકૃષ્ણ,રાધેકૃષ્ણના સ્મરણથી,જીવ પર પરમાત્માની કૃપા થઇ જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
==========================================================
June 13th 2017

કૃપાની કેડી

...Related image...
.            .કૃપાની કેડી    

તાઃ૧૩/૬/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ કર્મથી સમજાય
પાવનરાહથી જ્યોતપ્રગટે જીવની,જે પવિત્ર કૃપાની કેડી આપી જાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
માનવદેહને સ્પર્શે છે કરેલ કર્મ,એ જીવને મળતી સરળ રાહે દેખાય
કુદરતની આ પવિત્રકેડી જીવપર,માનવદેહને વર્તનથી સમજાઇ જાય
આજકાલ એ સ્પર્શે દેહને જીવનમાં,જે કર્મના બંધનથીજ અનુભવાય
કરેલ કર્મના સંબંધ સ્પર્શેછે જીવને,જે જીવને આવનજાવનથી દેખાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય
સરળજીવનની રાહે ચાલતા જીવનમાં,મળેલદેહને પવિત્રકર્મ મળી જાય
સંત જલાસાંઇની ચીંધેલ આંગળીએ,કરેક કર્મ જીવન પવિત્ર કરી જાય
મહેંક પ્રસરે માનવતાની જીવનમાં,ત્યાં પરમાત્માય પરીક્ષા કરવા પ્રેરાય
આવી આંગણે કૃપા કરે આંગણુ પાવન થાય એજ કૃપાની કેડીકહેવાય
......એ જ લીલા છે અવિનાશીની,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
=========================================================
June 12th 2017

કાનમાં કચરો

..Image result for કાનમાં કચરો..
.            .કાનમાં કચરો
તાઃ૧૨/૬/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને જીવનમાં સ્પર્શે છે,જેને કાનની કૃપા કહેવાય
સાંભળવાથી સમજણ મળે,જે માનવ જીવનને દોરી જાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
કચરો પેસે જ્યાં કાનમાં,ત્યાં જ અગડમ  બગડમ થઈ જાય
વિચાર એ બુધ્ધીથી સ્પર્શે દેહમાં,જે થકી જીવન ચાલી જાય
મદદ માગતા વડીલને ધરતીપર,બેહરાશે ના મદદ કોઇ થાય
વંદનકરતા મળે આશીર્વાદ વડીલના,કાનમાં કચરાએ ખોવાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
સરળ જીવનની રાહ પકડવી,એ મળેલ દેહથી સમજણે લેવાય
સાંભળવવાની ના જરૂર કોઇ દેહને,મળેલ બુધ્ધીનેએ સમજાય
કળીયુગની એ કાતર છે અવનીએ,સાંભળતા દુષ્કર્મ થઈ જાય
ખુલ્લા કાનને ખોટા શબ્દ મળે,ત્યાંજ દેહનેએપાગલ કરી જાય
.....અદભુત શક્તિ કાનની,જે થકી જીવનમાં રાહ સાચી મળી જાય.
===================================================
June 11th 2017

ભજન કરુ

 ..Image result for ભજન કરૂ..
.              .ભજન કરૂ

તાઃ૧૧/૬/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભજન કરતા,જીવનમાં મનને અનંત શાંંતિ મળી જાય
મળેલદેહને પાવન કરવા અવનીએ,પરમાત્માની ઓળખાણ થઈ જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
પત્થરને પારખી લેતા કળીયુગમાં,દેખાવની દુનીયાથી દુર રહેવાય જાય
મનથી કરેલ ભક્તિ જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ પણ આપી જાય
શુ કરવુ અને શુ કર્યુ જગતમાં,જે જીવનમાં કર્મના બંધનથી સમજાય
મળે જીવને અનંતપ્રેમ અવનીએ,ના અપેક્ષા કે નામાગણી અડી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
જલાસાંઇની જ્યોત પ્રગટી અવનીએ,જે કરેલકર્મથી જીવોને દોરી જાય
પવિત્રભાવનાથી કરેલ ભક્તિ અને ભજન,જીવને પવિત્રમાર્ગે લઈ જાય
જન્મમરણના બંધન જીવથી છુટતા,પરમકૃપાએ જન્મ મરણ છુટી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
======================================================

	
« Previous PageNext Page »