June 11th 2017

ચીંધેલ જ્યોત

.            .ચીંધેલ જ્યોત 

તાઃ૧૧/૬/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમનો સાગર તો જગતને સ્પર્શે,પરમાત્માની કૃપા કહેવાય
નિર્મળસ્નેહ એ જ્યોત પ્રેમની,માનવ જીવનમાં મળી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપાળુ એ પ્રભુ છે,દુનીયામાં મળેલદેહથી સમજાઈ જાય
કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે દેહ મળતા જીવને સમજાય
કરેલ પાવનકર્મ એ માનવદેહ,અવની પર આવતા અનુભવાય
નાભાવના કે નાઅપેક્ષા કોઇ,એ ઉજવળ જીવન આપી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
વડીલને વંદન એ સંસ્કાર છે જીવના,જે પાવનરાહે દોરી જાય
કળીયુગની આ સાંકળ છે એવી,મળેલ આફતથી સમજાઈ જાય
પવિત્રરાહની ચીંધે આંગળી,ત્યાં માનવી પવિત્રજ્યોતે જીવી જાય
અદભુત શક્તિશાળી પરમાત્મા,જીવને અંતે મુક્તિમાર્ગે લઈ જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
======================================================
June 10th 2017

કૃપા મળે

Image result for કૃપા મળે
.              .કૃપા મળે 

તાઃ૧૦/૬/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે માનવદેહ અવનીએ જીવને,જ્યાં મળે પરમાત્માની કૃપા
અનંત શક્તિશાળી છે પરમાત્મા,જગતમાં જીવોથી અનુભવાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રામનામની માળા જપતા જીવને,પ્રભુની પરમ કૃપાય મળી જાય
હનુમાનજીની ભક્તિ નિરાળી,ગદા સંગે જગતમાં એ પુંજાઈ જાય
માનવ જીવન પાવન કર્યુ અવનીએ,જે માબાપની કૃપા કહેવાય
અયોધ્યા એજ સ્થાન બન્યુ,જ્યાં પરમાત્માએ જન્મ લીધો દેખાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રાધામાતાનો પવિત્રપ્રેમ જ્યાં પરમાત્મા શ્રીકૃષ્ણ રૂપે આવી જાય
ગોપીઓના સંગાથમાં રહેતા દ્વારકામાં,એગોપીનાથ પણ કહેવાય
અજબ કૃપાળુ પરમાત્મા છે જગતમાં,ભક્તો પર કૃપા કરી જાય
સમયને સમજી જીવતા જીવનમાં,વડીલના આશિર્વાદ મળી જાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
=================================================
June 9th 2017

અજ્ઞાન

.             .અજ્ઞાન  

તાઃ૯/૬/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
માનવજીવન એજ કૃપા પ્રભુની,જે જીવને કર્મની કેડીથી સમજાય
મળેલ જન્મને સાર્થક કરવા,જીવનમાં સતકર્મની સાંકળને પકડાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
અવનીપરના આગમનને યુગસ્પર્શે,જે દેહને ઉપર નીચે લઈ જાય
જીવને બંધનછે કર્મના અવનીપર,એજ જ્ઞાન અજ્ઞાનથી સમજાય
સમજણની રાહ પવિત્ર છે,જે મળેલ દેહના વર્તનથી સ્પર્શી જાય
કુદરતની લીલા છે અતિન્યારી,જે જીવના આવનજાવનથી દેખાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જ્યાં નિર્મળતાનો સંગ લેવાય
અનેક ઉપાધીને આંબી લેવા જીવનમાં,જલાસાંઇની કૃપા મેળવાય
અપેક્ષાના વાદળ એ કળીયુગની સાંકળ,ના કોઇ જીવથી છટકાય
નિર્મળ જીવનની રાહ પામવા જીવનમાં,અજ્ઞાનતાથી દુરજ રહેવાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
==========================================================
June 8th 2017

शेरडीवाले सांई

....Image result for शिरडी वाले साईं....
.          .शेरडीवाले सांई

ताः८/६/२०१७             प्रदीप ब्रह्मभट्ट 

प्रेम श्रध्धाकी निर्मळ राह पकडके,बाबा मै तुम्हारे चरणमे आया
क्रुपाकी पावनराहसे बाबाकी,जीवनमें शांन्तिका संगाथ मैने पाया
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
बाबा मेरे है शेरडीसांई क्रुपा निधान,जीवनमें मीले शांंतिका धाम
श्रध्धा रखके ज्योत जलाके धरमें,बाबाको वंदन प्रदीपका वारंवार
मानवदेहको क्रुपा मीले बाबाकी,जीवनकी ज्योत संसारमेभी प्रगटे
वंदन वारंवार करते श्रध्धासे जीवनमे,पावनराह जीवको है मीलती
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
ॐ श्री सांइनाथाय नमः स्मरणसे,जीवनकोशांंति सदाय मील जाती
कळीयुगकी ना चादरस्पर्शे जीवको,ना मोहमायाका कोइ संग रहे
उज्वळ जीवनकी राहही देती शांन्ति,ना अपेकक्षा जीवनमें अडती
मानवजीवनमें मीलती क्रुपा बाबाकी,जहां श्रध्धासे वंदन हम करते
.....येही क्रुपा है बाबाकी शेरडीमें,आकर मानवताकी महेंक है प्रसराई.
========================================================
June 8th 2017

જલારામને પ્રેરણા

....Related image....
.         .જલારામને પ્રેરણા
તાઃ૮/૬/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પ્રેરણા આપી નિર્મળ,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
અવનીપરના બંધનને છોડવા,પરમાત્માની કૃપાએ અન્નદાન દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
ભંક્તિમાર્ગની ચીંધી આંગળી જલારામને,ના મંદીરની અપેક્ષા રખાય
નિર્મળ ભાવનાએ જીવન જીવતા,પવિત્ર જીવ વિરબાઈનોજ કહેવાય
સંસ્કારની સાચી નિર્મળરાહ મળે માબાપથી,જે તેમના વર્તને દેખાય
જલારામની શ્રધ્ધા સાચી જીવનમાં,જ્યાં પરમાત્મા પરિક્ષા કરી જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
અનેકદેહોને ભોજન દઈને જીવતા,જ્યાં આશિર્વાદની વર્ષા થઈ જાય
અપેક્ષાની ના ચાદર ઓઢતા જીવનમા,પાવન કર્મની પ્રેરણા મેળવાય
સંત ભોજલરામની ચીંધેલઆંગળી,સંસારને પવિત્રરાહ પણ આપી જાય
મળેલપ્રેમ માબાપનો જીવનમાં,ઉજવળરાહે જીવને મુક્તિમાર્ગ દઈ જાય
.....એ જ સંકેત છે અવિનાશીનો,અંતે ઝોળી ને ડંડો આપીને ભાગી જાય.
========================================================
June 7th 2017

આંગણુ પાવન

.          .આંગણુ પાવન

તાઃ૭/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આવનજાવન એ જીવના બંધન,કરેલ કર્મની કેડીએ મળી જાય
સંબંધ એતો છે સંસારનુ સગપણ,જગતમાં ના કોઇથી છટકાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
સિધ્ધીવિનાયકદેવની ભક્તિએ કૃપામળે,એ પાવનરાહે લઈ જાય
કર્મના બંધનએ કરેલ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
પાવનરાહે ચાલતા અવનીએ,મળેલ જીવનમાં માનવતાય મહેંકાય
કુદરતની આ અસીમ છે કૃપા,જે ધર આંગણે દર્શન આપી જાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
અપેક્ષાના વાદળતો જીવનેઅડે,નિર્મળ જીવનને એદુર રાખી જાય
માનવજીવન એજ કૃપા જલાસાંઇની,જે પવિત્ર રાહે જીવને દેખાય
અનેક જીવોને અન્નદાન આપતાજ,પરમાત્માને એ રાજી કરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,જ્યાં માનવ થઈને જીવન જીવાય
....પરમાત્માની પાવનકેડી એ જીવનને સ્પર્શે,જે આંગણુ પાવન કરી જાય.
=======================================================
June 6th 2017

પાવનપ્રેમ

Related image
.            .પાવનપ્રેમ   

તાઃ૬/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને પાવનપ્રેમની રાહ મળે,જ્યાં ગજાનંદની કૃપા થઈ જાય
ભક્તિ માર્ગની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ભોલેનાથને પુંજાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
પાવનપ્રેમ મળ્યો માતાનો,જે પુત્ર ગણપતિના વર્તનથીજ દેખાય
માતા પાર્વતીએ પવિત્રશક્તિ છે,જે સંતાનને મળતાપ્રેમે સમજાય
નિર્મળ ભાવે પુંજન કરતા ગણપતિની,પિતા શંકરનીય કૃપા થાય
દેહને મળે પવિત્રરાહ જીવનમાં,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
અનેક ભાવનાથી પુંજન કરતા,ગણેશજીને સિધ્ધીવિનાયક કહેવાય
ૐ શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,નિર્મળ ભાવનાએ પુંજન થાય
ૐ ગં ગણપતયે નમઃએ પણ પવિત્ર શ્લોક છે,શ્રી ગજાનંદ હરખાય
પવિત્ર ભાવનાએ માળા જપતા,મળેલ જીવને પાવનપ્રેમ મળી જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
=====================================================
June 5th 2017

કુટુંબની કેડી

.         .કુટુંબની કેડી 

તાઃ૫/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ અજબકેડી છે,જે જીવનની જ્યોત પ્રગટાવી જાય
કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલ દેહને અનુભવ આપી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
મળેલ દેહ જીવને અવનીએ,માબાપ થકી અવનીએ આવી જાય
કુટુંબછે શરીરના સંબંધ અવનીએ,જે પ્રેમની પાવનકેડી દઈ જાય
ભાઈબહેનના પ્રેમની જ્યોત પ્રગટે,જે માબાપની જ કૃપા કહેવાય
પતિપત્નીના સંબંધનીકેડી,એ કર્મનાબંધન પ્રેમાળ જીવનથી દેખાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
શ્રધ્ધા ભક્તિને સમજીને પારખી ભજતા,ભગવાનની કૃપા મળી જાય
અનંતપ્રેમથી જીવને પાવન રાહ મળે,જે દેહના વર્તનથી જ સમજાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે કુટુંબમાં દેહનાબંધનથી અડી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,અંતે જન્મમરણને પ્રભુકૃપા મળી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
======================================================
June 4th 2017

મા કાળકા

Image result for મા કાળકા
.              .મા કાળકા

તાઃ૪/૬/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી માકાળકાની,પરમકૃપાએ પાવનરાહ મળી જાય
કર્મની શીતળ રાહે માતાને પુંજતા,મળેલ જીવન ઉજવળ થઈ જાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
શ્રધ્ધા રાખી માતાને વંદન કરતા,મનને અનંત શાંંન્તિ મળી જાય
કૃપાની પવિત્રકેડી મળે પ્રદીપને,જ્યાં મા કાળકાને ધુપદીપ કરાય
કુળદેવીની કૃપા મળે સંસારમાં,પાવનમાર્ગે કુટુંબ પણ ચાલી જાય
આજકાલને દુર રાખીને જીવતા,જગતમાં આગમનથી દુર રહેવાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જે માતાની કૃપાએ અનુભવાય
ના અપેક્ષાની કોઇ સાંકળ મળે,જે જીવને કાયમ દુઃખ દઈ જાય
આજકાલ જગતમાં બંધનથીસ્પર્શે,જ્યાં દેહને કળીયુગ અડી જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં માતાની કૃપા જીવ પર થાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
========================================================

	
June 3rd 2017

રામનામની માળા

.         .રામનામની માળા 
 તાઃ૩/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની માળા જપતા,જીવને પરમાત્માની પરમકૃપા મળી જાય
મોહમાયાની આંગળી છોડતા,મળેલ માનવ દેહ પાવન થઈ જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
જકડ દેહની જ જીવને અડે,જે આવન જાવનથી જગતમાં સમજાય
નિર્મળભાવનાનો સંગ રાખતા,મળેલ દેહને સદાય શાંંન્તિ મળી જાય
અવનીપરનો એ દેહ છે પરમાત્માનો,જેને રામના નામથી ઓળખાય
મનથી કરેલ જાપ શ્રીરામના,સંગે સીતામાતાનો પ્રેમ પણ મળી જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
કર્મનીકેડી એ બંધન છે જીવના,એ મળેલદેહના વર્તનને અડી જાય
ભજનભક્તિને શ્રધ્ધાએ કરતા,ના અપેક્ષાના વાદળ જીવને મળીજાય
દેખાવની દુનીયા સ્પર્શે છે કળીયુગમાં,જે નિખાલસતાએજ સમજાય
મળે માનવતાનો સાથ જીવનમાં,જ્યાં શ્રી રામની પ્રેમથી પુંજા થાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
======================================================

« Previous PageNext Page »