June 2nd 2017

કર્મસંબંધ

.          .કર્મસંબંધ   

તાઃ૨/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમકૃપા અવનીપર,કરેલ કર્મના સંબંધ જીવને સ્પર્શી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે આગમન વિદાયની કેડીએ સમજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
માનવ દેહને મળે સમજણ વર્તનની,જે થકી જીવનમાં સમજીને જીવાય
લાગણી મોહ ને વર્તન વાણી સ્પર્શે જીવને,માનવદેહમાં એ અનુભવાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જ્યાં નિખાલસતાએજ જીવન જીવાય
નિર્મળ ભક્તિની રાહ પકડતા જીવનમાં,પુંજન અર્ચન શ્રધ્ધાએ થઈ જાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
સમય પકડવાની તાકાત નાકોઇની જગતમાં,કળીયુગ સતયુગથી દેખાય
કર્મ એ દેહને સ્પર્શે વર્તનથી,જીવનમાં કુદરતની અજબકૃપાએ સમજાય
પ્રેમભાવથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપાએ જીવતર પાવન થાય
આંગણે આવી ઉજ્વળ સવાર મળતા,દેહને પ્રભાતપણ પાવન મળીજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
===========================================================
June 1st 2017

મળેલ રાહ

.          .મળેલ રાહ  

તાઃ૧/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જીવને અવનીએ,એજ પરમાત્માની કૃપા કહેવાય
અનંત દેહના સંબંધ છે અવનીએ,જે જીવને જન્મ મળે સમજાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
કુદરતની છે અજબલીલાઅવનીએ,નાકોઇ કલ્પના જીવથી રખાય
માનવજીવનના સંબંધએ કર્મ છે,જીવને આવનજાવન આપી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં,શ્રધ્ધાએ પરમાત્માની ભક્તિપ્રેમે થાય
નાઅપેક્ષાના કોઇ વાદળ સ્પર્શેદેહને,જ્યાં જલાસાંઇની રાહે ચલાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે માબાપનો નિર્મળપ્રેમ જ કહેવાય
શ્રધ્ધા પ્રેમને સાચવીજીવતા,મળેલ દેહ સત્કર્મના માર્ગેજ ચાલી જાય
મળે જ્યાં વડીલના આશિર્વાદ દેહને,જીવને નિર્મળરાહ આપી જાય
એજ લીલા પરમાત્માની જીવ પર,જે ધરતીના બંધનને આંબી જાય 
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================================
June 1st 2017

કુદરતની કરામત

Image result for કુદરતની કરામત
.         .કુદરતની કરામત

તાઃ૧/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે જગતમાં,જેને સમજણથી કુદરત કહેવાય
અવનીપર મંદીર જતા પગેલાગીને,પથ્થર કે ફોટાને પ્રભુ કહેવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
પરકૃપાળુ પરમાત્મા જેઅનેક રૂપે,અવનીએઆવી વિદાય લઈ જાય
લીધેલ દેહથી જગતમાં જીવન જીવવાની,એ પવિત્રરાહ આપી જાય
પવિત્ર ભુમી એ ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
સંસ્કારની શીતળ કેડીએ, માનવ દેહની જ્યોત સમયે પ્રગટી જાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
કુદરતની આ કરામત છે જગતમાં,જે અબજો વર્ષોથી સ્પર્શી જાય
મળેલદેહ એ કર્મના બંધન છે જીવના,જગતમાં ના કોઇથી છટકાય
નિર્મળભાવનાએ જીવન જીવતા,પ્રભુકૃપાએ કર્મનાબંધન છુટતા જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇથી પાવનરાહ મેળવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
=======================================================
« Previous Page