March 9th 2021

પાર્વતીનંદન

###શ્રી ગણેશ સ્તુતિ###

.            .પાર્વતી નંદન

તાઃ૯/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી દેહલઈ પધાર્યા,જે પવિત્રભારતમાં શ્રીભોલેનાથ કહેવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના શિવલિંગને દુધથી અર્ચનાપણ કરાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
અવનીપરના આગમનને દેહ કહેવાય,જે સમયને સાચવીને દેહથી આવીજાય
ભારતની ભુમીને પવિત્ર કરવા જન્મ લીધો,જે માતા પાર્વતી નંદનથી પુંજાય
ગજાનન ગણપતિ ભાગ્ય વિધાતા કહેવાય,સંગે વિઘ્નવિનાયકથીય ઓળખાય
પવિત્રપ્રેમથી ભોલેનાથ પવિત્રગંગા વહેવરાવી જાય,જે જીવને મુક્તિ દઈ જાય
ભારતદેશમાં સોમવારે શ્રધ્ધાથી પુંજન કરતા,પાવનકૃપા માનવ્દેહને મળી જાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
માતાપાર્વતીના દીકરા શ્રીગણેશ શ્રીકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય
ગણપતિના દેહપર પ્રભુની કૃપા,એ પત્નિ રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય 
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા ભક્તોપર,પિતા ભોલેનાથની કૃપાએ દયા કરીજાય
મળેલ માનવદેહપર પાવનક્ર્પા મળે પરમાત્માની,જે નિર્મળશાંંતિ આપી જાય
પાર્વતી પતિ મહાદેવને ૐ નમઃ શિવાય,સંગે પુત્ર ગણેશને ગજાનંદથી પુંજાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
****************************************************************

 

March 8th 2021

મહાદેવ ભંડારી

 માસિક શિવરાત્રી પર આ ઉત્તમ ઉપાય આપશે મનગમતુ ફળ  

.           .મહાદેવ ભંડારી

તાઃ૮/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ ભોલેનાથ કહેવાય,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
હિંદુધર્મમાં માતા પાર્વતીના પતિદેવ છે,જેમને ભોલેભંડારી પણ કહેવાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
શિવલીંગપર દુધ અર્ચનાકરતા,શ્રી ભોલેનાથ ભગવાનની પાવનકૃપા થાય
પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્ર શ્રધ્ધાથીજ માળા કરી પુંજા કરાય
ભારતમાં હિમાલયની પુત્રી પાર્વતી,શંકર ભગવાનની જીવનસંગીની થાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
અજબ શક્તિશાળીદેવ છે,જે શ્રધ્ધાએ ભક્તિકરતા દેહોપર કૃપા કરીજાય
પવિત્રસંતાનથી શ્રીગણેશ,સંગેકાર્તીક,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
પુત્ર ગણેશ ગજાનન શ્રી ગણેશથી ઓળખાય,જે ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રદેહર્થી ભારતદેશમાં જન્મ લઈને,દુનીયામાં પવિત્ર હિંદુધર્મ કરી જાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
###############################################################
March 7th 2021

કૃપાળુ દુર્ગામાતા

##ચૈત્ર નવરાત્રિમાં માતાજીનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરો | chitralekha ##

.          .કૃપાળુ દુર્ગામાતા

તાઃ૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્માની પાવનકૃપા થાય
પવિત્રદેહથી ભક્તોપર કૃપા કરવા,માતા દુર્ગાથી આવી જાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
પરમાત્માનો પ્રેમ ભારત પર,જે મળેલ દેહને સુખ આપી જાય
પ્રથમસ્વરૂપ લીધુ મા શૈલપુત્રીથી,જે પ્રથમનોરતે પુંજન કરાય
નવરાત્રીના બીજા દીવસે ગરબામાં,મા બ્રહ્મચારીણી આવીજાય
તાલીઓના તાલસંગે ત્રીજા નોરતે,માતા ચંદ્રધંટાના દર્શન થાય
દુર્ગામાતાનો પવિત્રપ્રેમ ભારતદેશપર,એ નવદુર્ગાથીજ મેળવાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
ચોથા નોરતે માતા કૃષ્માંડાથી આવીજાય,તાલીએ ગરબા રમાય
પવિત્રપ્રસંગમાં ગરબે રમતા,પાંચમા નોરતે સ્કંદમાતા આવીજાય
અનંતઆનંદ મળે નવરાત્રીમાં,છઠ્ઠેનોરતે માકાત્યાયની આવીજાય
સાતમે નોરતે મા કાલરાત્રીના દર્શનકરી,સંગે ગરબે ધુમતા ફરાય
માતાદુર્ગાની કૃપાએ આઠમા નોરતે,મા મહાગૌરીના દર્શન કરાય
સિધ્ધીદાત્રી માતા નવમેનોરતે પધારી,ભક્તોને અનંતપ્રેમ દઈજાય 
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
******************************************************

	
March 5th 2021

પ્રેમનો સમય

++રાધાએ કૃષ્ણના પ્રેમ ની લીધી હતી પરીક્ષા, પછી રાધાની આંખોમાં આવી ગયા હતા આંસુ. - MojeMastram++
.            .પ્રેમનો સમય

 તાઃ૫/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે પ્રભુકૃપાએ જન્મમરણથીજ મેળવાય
કુદરતની લીલા જગતમાં સચવાય,એ દેહના કર્મથીજ મળતી જાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
અવનીપરના આગમનનો સંબંધ,જીવને મળતા દેહથી મળતો જાય
પવિત્રરાહ મળે મળેલદેહને અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજા થાય
પરમાત્માની પુંજાકરવા અનેકદેહથી,ભારતમાં પવિત્રદેહથીઆવી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમરણથી મૅળવાય,જે થયેલકર્મથી મળી જાય
દેહને અવનીપર આવવા પ્રાણીપશુ,જાનવરનો દેહ પંણ મળતો જાય
જન્મ મળે માનવદેહનો જીવને ધરતીપર,પ્રભુના પ્રેમના સંબંધથી મળે
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
********************************************************
March 5th 2021

અવનીનો આધાર

**14 જાન્યુઆરી સુધી નહિ થાય શુભ કામો.. પણ આવા કામ થઇ શકશે, જાણો લગ્નની તારીખો... - Gujaratidayro***

.          .અવનીનો આધાર

તાઃ૫/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમથી કૃપા કરતા અવનીપર,જે પ્રત્યક્ષદેવ સુર્યદેવ કહેવાય
અબજોવર્ષોથી જીવને મળેલદેહને,દરરોજ સવારસાંજ આપીજાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગત જન્મે થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પાવનકૃપા જીવપર,જે પશુપક્ષીપ્રાણીથી છોડી જાય
અવનીપર આવીને કર્મનો સંબંધ થાય,જે પ્રભુની કૃપાથી સમજાય
સુર્યદેવના આગમને સવાર પડે,અને વિદાયે સાંજથી રાત મેળવાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
શ્રધ્ધાભક્તિ મળેલદેહથી મેળવાય,જ્યાં પાવનકૃપા પરમાત્માની થાય
સતયુગ કળીયુગ એ સમયનોસ્પર્શ,જગતમાં નાકોઇજ દેહથી છટકાય
પાવનરાહ પામવા સુર્યદેવને શ્રધ્ધાભાવથી,વંદન કરીને અર્ચનાય કરાય
જે મળેલદેહને સમયનો સંગાથઆપે,એ જીવનાદેહની માનવતા મહેંકાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
###########################################################




March 4th 2021

પવિત્ર ભક્તિરાહ

###👆 સાંઈ બાબા Images Ashvin sodha 🙏 jay jalaram 🙏 - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક### 
.          .પવિત્ર ભક્તિરાહ  

તાઃ૪/૩/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે ધર્મકર્મની સમજણ આપી જાય
શેરડીગામથી શ્રધ્ધા સબુરી મળી,અને વિરપુરથી ભોજનરાહ મેળવાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
વિરપુરમાં જન્મ લીધો,જે પિતા પ્રધાન ને રાજબાઈના સંતાન કહેવાય
પાવનરાહે જીવનજીવતા જલારામને,પત્ની વિરબાઈનો સંગાથ મળીજાય
મળેલ દેહથી સત્કર્મની કેડીને પકડીને,એ કાકાની દુકાનને ચલાવી જાય
પવિત્રકૃપા થતા અન્નદાનની રાહ મળી,જે ભુખ્યાને ભોજન કરાવી જાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
પાથરીગામમાં જન્મ લીધો,ને સમયે શેરડીમા એસાંઇબાબાથી આવી જાય
મળેલદેહને પરમાત્માની કૃપા પામવા,શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય
ધર્મકર્મનો સંબંધ છે માનવદેહને,જે મળેલ દેહની માનવતા પ્રગટાવી જાય
સાંઇબાબાને સાથ મળ્યો દ્વારકામાઈનો,જે શેરડીમાં પાવનકર્મ કરાવીજાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
=============================================================

 

 

 

 

 

 

 

 

 

 

 

 

March 3rd 2021

માતાની કૃપા

###કોણ કોણ લખશે માં મહાકાળી નું નામ જય... - जय माँ महाकाली पावागढ | Facebook###
.           .માતાની કૃપા

તાઃ૩/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપાથી મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં કુળદેવી માતાનો કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરાય,કૃપાએ કુળનેએ આગળ લઈજાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
અનેકદેહ લઈ માતા અવનીપર આવી જાય,જે પાવનરાહની પ્રેરણા કરી જાય
કુદરતની આ અજબકૃપા ધરતીપર,જે મળેલ દેહને ભક્તિની રાહ આપી જાય
પાવનરાહ મળે જીવને જ્યાં પ્રભાતે,પ્રત્યક્ષ સુર્યદેવને વંદન કરી અર્ચના કારાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપાનો અનુભવ થાય,જે અંતે મુક્તિ દઈ જાય 
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
માતાના પવિત્રદેહની કૃપા મળે દેહને,જે સમયસંગે સમજણ આપી જીવાડી જાય
સંસારમાં માબાપે મને આંગળી ચીંધી,કે આપણી કુળદેવી કાળકામાતાજ કહેવાય
શધ્ધાભાવથી પુંજન કરી વંદન કરાય,જે દેહને પવિત્રરાહ આપી સુખી કરી જાય
ૐ ક્રીમ કાલીયે નમઃ નો મંત્ર કરી,માતાને શ્રધ્ધાથી પ્રભાતે નમનકરી વંદન થાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
March 2nd 2021

સંગાથ સમયનો

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું- આ સમય પણ વીતી જશે | time is  powerul than everything says lord krishta to arjun - Gujarati Oneindia
.          .સંગાથ સમયનો

તાઃ૨/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની અવનીપર,સમય સંગે ચાલતા દેહને સમજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મે કરેલકર્મથી મળતો જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
અનેકદેહ એકુદરતનીકૃપા ધરતીપર,પશુપક્ષીનો દેહ નિરાધાર કહેવાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,અનેકકર્મનીરાહ મળતી જાય
ઉંમરથી નાકોઇ છટકીશકે જીવનમાં,સમયસાથે ચાલતા અનુભવ થાય
કળીયુગની રાહ જગતમાં જીવને સ્પર્શી જાય,ના કોઇથી કદી છટકાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
જન્મ મળે જીવને જે સંતાન કહેવાય,માબાપની પાવનકૃપાએ મેળવાય
જીવનોદેહ એ આગમનવિદાયથી દેખાય,જે જન્મમરણથી મળતો જાય
પવિત્રકૃપાએ દેહને ભજનભક્તિની રાહમળે,એ દેહને શ્રધ્ધાથી સમજાય
મળેલદેહપર પાવનકૃપા પ્રભુની થાય,જે અંતે જીવને મુક્તિ આપી જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
***********************************************************
March 2nd 2021

ગજાનન શ્રીગણેશ

News & Views :: ગણેશજીની આ 4 પ્રકારની મૂર્તિ ગણાય છે જાગૃત, પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ

,         .ગજાનન શ્રીગણેશ  

તાઃ૨/૩/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ગજાનન શ્રીગણેશ કહેવાય
પવિત્રકૃપા પિતા શંકરભગવાનની મળી,જગતમાં ભાગ્યવિધાતા કહેવાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
શ્રીગણેશ શ્રીગણેશથી પુંજન કરતા,માબાપની કૃપાએ પ્રેરણા આપી જાય
ભક્તોના એ વ્હાલા ગજાનન કહેવાય,જે પવિત્રકર્મમાં નીમિત્ત બની જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરતા,રીધ્ધી સિધ્ધીની કૃપા મળી જાય 
અનંતશાંંતિ જીવનમાં મળી જાય,નામોહ માયા કે આફત કોઇ અડી જાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
મળેલ માનવ જીવનમાં ધાર્મિક પ્રસંગે,શ્રી ગણપતિજીની પ્રથમ પુંજા કરાય
શ્રધ્ધાભક્તિને પારખી ગજાનન શ્રીગણેશની,ભક્તોપર પાવનકૃપા પણ થાય
માતાનીકૃપાએ શ્રીગણેશને,ભાઈકાર્તિક બહેન અશોકસુંદરીનો પ્રેમ મળીજાય
એવાવ્હાલા ગણેશ ભગવાનશંકર અને માતાપાર્વતીના સંતાનથીજ ઓળખાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
#################################################################

	
March 1st 2021

સવાર સાંજ

માનવની નજરે: શિયાળો ♥
.           .સવાર સાંજ

તાઃ૧/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સવારસાંજ એજ પાવનકૃપા સુર્યની,જગતમાં એ આપી જાય
સમય નાપકડાય કોઇથીય,એ કુદરતની અજબલીલા કહેવાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
અવનીપર મળેલદેહને સમયસંગે ચાલવા,સુર્યદેવની કૃપા થાય
સુર્યના ઉદયથી સવાર પડે જગતમાં,જે દેહને કર્મકરાવી જાય
અદભુતકૃપા સુર્યદેવની અવનીપર,જેજીવને સમજણ આપીજાય
પવિત્ર દર્શન થાય સુર્યના સવારે,અને સાંજે વિદાય લઈ જાય 
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
કુદરતની પાવનલીલા છે નિરાળી,નાઆશા અપેક્ષા કદી દેખાય
સરળ જીવનનીરાહ આપે દેહને,એ પરમકૃપાળુ સુર્યદેવ કહેવાય
અબજો સમયથી અવનીપર કૃપા કરી,દેહને રાહત આપી જાય
એજ કૃપાળુ છે જગતમાં,ના કોઇની તાકાત કે તેને રોકી જાય
....જીવને મળેલદેહ એ ગતજન્મના,થયેલ કર્મના સંબંધથી મેળવાય.
******************************************************

 

 

« Previous PageNext Page »