May 3rd 2021

મળી કૃપા

શિવરાત્રી પર ભગવાન ભોલેનાથ ને ચડાવો આ વસ્તુ, થશે ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ - YouTube

.            .મળી કૃપા
 
તાઃ૩/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળી પવિત્રકૃપા શ્રી ભોલેનાથની,જે હિંદુધર્મમાં શંકર ભગવાન કહેવાય
શ્રધ્ધાભાવનાથી તેમની ભક્તિ કરતા,ભક્તોને જીવનમાં કૃપા મળી જાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પરમ પવિત્ર શંકર ભગવાન છે,જે ૐ બમ બમ ભોલે મહાદેવથી પુંજાય
પિતા હિમાલયની દીકરી પાર્વતી,એ શંકરભગવાનની પત્નિથી ઓળખાય
પરમાત્માએ દેહ લીધા જન્મથી,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
પવિત્ર સંતાન થયા માબાપના,જે ગણપતિ,કાર્તિક,અશોક સુંદરી કહેવાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પવિત્ર શક્તિશાળી સંતાન થયા છે,ગણપતિને વિધ્નવિનાયકથી ઓળખાય
જગતમાંએ ભાગ્યવિધાતા કહેવાય,જે મળેલ માનવદેહનુ ભાગ્ય સુધારી જાય
હરહર મહાદેવથી શંકરભગવાનને વંદનકરતા,માતાપાર્વતીનીસંગેકૃપા મેળવાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,શીવલીંગ પર દુધ અર્ચના કરી વંદન કરાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
###############################################################

     

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment