May 17th 2021

પરમકૃપાળુ પ્રેમાળ

***ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે - GujjuRocks | DailyHunt***

.         .પરમકૃપાળુ પ્રેમાળ 

તાઃ૧૭/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અત્યંત પ્રેમાળ અને પરમકૃપાળુ,ભારતમાં જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
પરમાત્માનો પવિત્રદેહ છે,એ માતાપાર્વતી પતિ શંકરભગવાનથી ઓળખાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
અજબ શક્તિશાળી દેહ લીધો ધરતીપર,જે પવિત્ર ગંગા નદીને વહાવી જાય
પાવનપવિત્રકૃપા પિતા હિમાલયની,જે વ્હાલી દીકરી પાર્વતીને પરણાવી જાય
શંકર ભગવાન જમાઈ થઈ જાય,એમને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા થાય
પવિત્રપ્રેમથી જીવન જીવતા પવિત્ર કૃપાએ,અશોકસુંદરી દીકરીથી જન્મી જાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્ર વ્હાલા સંતાન શ્રી ગણેશજી,હિંન્દુ ધર્મમાં ભાગ્યવિધાતાથીજ ઓળખાય
જે ગૌરીનંદન શ્રીગણેશ પણ કહેવાય,જેમની પુંજાકરતા મળેલદેહપર કૃપા થાય
જગતમાં હિંદુધર્મની ઓળખાણ થાય,જે થયેલ મંદીરમાં ભોલેનાથની પુંજા થાય
પાવનકૃપા થાય દેહપર જ્યાં શ્રધ્ધાથી,ભગવાન શંકરસંગે માતાપાર્વતીને પુંજાય 
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
ત્રિશુળધારી શંકર ભગવાન કૃપાકરે,જે દુશ્મનને દુરકરી ભક્તને સુખ આપી જાય
મળે માનવદેહને પવિત્રરાહ જીવનમાં,નાકદી કોઇ આશાઅપેક્ષા દેહને અડી જાય
ખુબપ્રેમાળ અને વ્હાલાછે શ્રીભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી માળા કરી પુંજાય
પાર્વતીમાતાની પાવનકૃપા થાય માનવદેહપર,જ્યાં ઘરમાંજ શ્રધ્ધાથી પુંજન કરાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment