પવિત્ર કૃપાળુ
******
. .પવિત્ર કૃપાળુ તાઃ૨૦/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રદેહ લીધો ભારતમાં જે શેરડીમાં આવતા,સંત સાંઇબાબા કહેવાય પરમાત્મા એ દેહલીધો સમયે,જે ધર્મકર્મને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય ....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય. માનવદેહને પ્રેરણા કરવા શેરડી આવી,દ્વારકામાઈનો સાથ મેળવી જાય જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયની સાથે જીવનમા ચલાવી જાય અવનીપરના આગમન વિદાયને છોડવા,ધર્મની પવિત્રરાહે જીવન જીવાય હિંદુમુસ્લીમ એ પવિત્રધર્મ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઇજાય ....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય. જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય મળેલદેહને ધાર્મીક રાહે જીવવા,પવિત્ર ધાર્મીક દેહથી પ્રેરણા જ મળી જાય પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મેળવાય,ના કોઇ દેખાવથી ધર્મ પકડાય અલ્લા ઇશ્વરએ પ્રભુના દેહ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય ....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય. #################################################################