પવિત્ર પકડ
******
. .પવિત્ર પકડ તાઃ૨૨/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પ્રેમ નિખાલસ મળે માનવદેહને,જે જીવનમાં સુખસાગર વહાવી જાય ના માગણી કે મોહ સાથે આશા રહે,એજ પરમાત્માની કૃપા કહેવાય ....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય. કુદરતની અદભુતલીલા અવનીપર,જીવને જન્મ મળતા દેહથી મેળવાય મળેલદેહના મનને સમજણ મળે,જે નિખાલસ પ્રેમની પકડથી સમજાય સમયનો સંબંધ મળેલદેહને,જે બાળપણ,જુવાની અને ધડપણ દઈજાય પવિત્રપ્રેમ મળે પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથી પુંજા કરાય ....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય. માનવદેહને સંબંધ મળેલદેહનો,જે જન્મ મળતા કર્મસંગે જીવન જીવાય કર્મનો સંબંધ એ દેહના ગતજન્મે,મળેલદેહના જીવનમાં સમયે સચવાય અવનીપરના આગમને દેહમળે,જે પરિવાર સંગે સંબંધીઓ આપી જાય પવિત્રકૃપા પ્રભુની મળેલદેહ પર,જીવનમાં પવિત્ર નિર્મળપ્રેમ મળી જાય ....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય. ==============================================================