આરાશુર
#### . .આરાશુર તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવારો મળે,જે સમયસંગે પુંજન કરાવી જાય માનવદેહ પર પરમાત્માની કૃપા છે,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરાય ....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય. આરાશુરમાં માતા અંબાજી પ્રેમથી પધાર્યા,જે પવિત્ર તહેવારમાં પુંજાય પાવાગઢથી ભક્તોનો શ્રધ્ધાપારખી,માતા કાળકા આશિર્વાદ આપીજાય હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જ્યાં ભારતીયના આગમને મળીજાય અનેકદેહથી દુનીયાને પવિત્ર કરી,જે માતાના અનેકદેહની પુંજાય કરાય ....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય. તાલીપાડીને ગરબેધુમતા ભક્તોપર,માતા આરાશુરથીઆવી કૃપાકરી જાય એ ભક્તોની શ્રધ્ધા પવિત્રમાતાપર,જે સમયની સાથે ચાલતા આપી જાય અનેક દેહથી માતાએ જન્મ લીધા ભારતમાં,જે દેશની પવિત્રતા કહેવાય સરળ જીવનની રાહમળે માતાના પ્રેમથી,જીવનમાં નાકોઇ અપેક્ષા હોય ....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય. ***************************************************************