પ્રેમાળ સાંઈ
++++
.પ્રેમાળ સાંઈ તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવનમાં પ્રભુની કૃપા મેળવવા,પવિત્રરાહે જીવતા દેહને વંદન કરાય માનવદેહપર પવિત્રકૃપા થઈ જીવનમાં,જે શેરડીમાં આવી જીવીજાય ....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય. પવિત્રસાથ મળ્યો દ્વારકામાઈનો શેરડીમાં,જે પવિત્રધર્મથી મળી જાય અલ્લા ઇષ્વરની કૃપા મેળવવા જીવનમાં,શ્રધ્ધાથી પુંજન કરી જીવાય મળેલદેહને પરમાત્માની કૃપાને મેળવવા, જીવનમાં ધાર્મિક કર્મ કરાય શ્રધ્ધા અનેસબુરી એઅવનીપર,હિંદુમુસ્લીમ ધર્મમાં બક્તિરાહ કહેવાય ....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય. જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય કુદરતની આ પાવનલીલા અવનીપર,જે ધર્મકર્મના વર્તનથી મળતોજાય અનેકદેહનો સંબંધ છે જીવને,એ પશુ પક્ષી પ્રાણી કે મનુષ્યથી દેખાય પાવનકર્મની રાહ મળે માનવદેહથી,જે શ્રધ્ધાભક્તિસંગે સબુરી પણથાય ....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય. ===============================================================