માનવતાની જ્યોત
######
. .માનવતાની જ્યોત તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપરના આગમનને સંબંધકર્મનો,નાકદી કોઇજદેહથી છટકાય અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને મળેલદેહને સમજાય ....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય. જીવને મળેલદેહને સમય સાથે ચાલતા,જીવનમાં અનેકકર્મ થઈ જાય કુદરતની આલીલા અવનીપર,જગતમાં મળેલ જીવને કર્મ આપી જાય માનવદેહને પ્રેરણા મળે જે પવિત્ર ભાવનાથી,જીવનમાં ભક્તિ કરાય પરમાત્માની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય ....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય. ભારતદેશની ભુમીને પવિત્ર કરવાજ,પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય શ્રધ્ધાભાવનાથી ભક્તિકરવા,સત્સંગની સરિતાને પરમાત્મા વહાવીજાય અજબભક્તિશાળી ભુમી કરવા,ભક્તો શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરી જાય મોહમાયાનો ના કોઇ સ્પર્શ અડે જીવનમાં,ના કોઇજ અપેક્ષાય રખાય ....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય. ***********************************************************