May 30th 2021

વાંસળી વાગતા

**કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar**

.           .વાંસળી વાગતા

તાઃ૩૦/૫/૨૦૨૧          પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
   
વાંસળી વગાડતા જીવનમાં કૄષ્ણ કનૈયા,રાધાના એ વ્હાલા થઈ જાય
ગોકુળનો એ ગોવાળીયોજ કહેવાય,સંગે અનેક ગોપીઓ નાચતી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ગરબેધુમતી ગોપીઓ વાંસળી સાંભળતા,તાલીઓથી ગરબે ઘુમતી જાય
અનેકનો પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં,ના એપવિત્રદેહથી કદી દુર રહેવાય
ના પ્રેમની માગણી જીવનમાં રાખતા,જગતમાં કૃષ્ણ કનૈયાથી ઓળખાય
કુદરતની પાવનકૃપા પવિત્ર ભક્તોપર,જે પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ભારતની ધરતીને પવિત્રકરવા અજબલીલા,શ્રધ્ધાએ કૃપા કરવા જન્મીજાય 
મળે પ્રભુનો પવિત્રપ્રેમ ભક્તોને,જે સમય સંગે પવિત્રદેહથીજ પધારી જાય
ના કોઇ અપેક્ષા ભક્તની રહે જીવનમાં,કે ના કોઇજ માગણી પણ રખાય
એ પાવનકૃપાને પારખી લેતા ગોપીઓ સંગે રાધાનો પવિત્રપ્રેમ વાગી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય
############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment