September 1st 2021

પ્રેમની જ્યોત પ્રગટે

**14 થી 20 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોના માં ખોડલની કૃપાથી ચમકી જશે કિસ્મત  | Ba Bapuji**
.         .પ્રેમની જ્યોત પ્રગટે

તાઃ૧/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમની ગંગા વહે છે જગતપર,જે માનવદેહને સમયે સ્પર્શી જાય
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,એ ભગવાનની કૃપાએજ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
અવનીપર જીવનુ આગમન એગતજન્મે,જીવનમાં થયેલકર્મથી લાવીજાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એ પાવનકૄપાએ મેળવાય
મળેલદેહથી ના કોઇજ અપેક્ષા રખાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પરમાત્માની ચીંધેલ આંગળીએ દેહને,પવિત્રપ્રેમનો સંગાથ પણ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
જગતમાં માનવદેહને નિખાલસપ્રેમ મળે,એમાનવદેહની ભક્તિએ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,સમયના સાથનો અનુભવ પણથાય 
અવનીપર પવિત્રભાવનાથી પવિત્રપ્રેમ મળે,એજ ભગવાનની કૃપા કહેવાય
માનવદેહને પ્રભુકૃપાએ જીવને,આવનજાવનથી દુર થતા મુક્તિ મળી જાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment