September 15th 2021

પવિત્ર ભક્તિજ્યોત

**હરસિદ્ધિમાતાનું ચમત્કારી મંદિર, જ્યાં બે હજાર વર્ષથી પ્રગટી રહી છે અખંડ  જ્યોત… વાંચો ક્યાં સ્થિત છે! - Gujju Kathiyawadi | GujjuKathiyawadi.com**

.          પવિત્ર ભક્તિજ્યોત 

તાઃ૧૫/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીને જીવન જીવાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લઈ,ભારતની ધરતી પવિત્રકરી જાય
દેવ અને દેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રરાહે જીવન જીવાડીજાય
માતાના પવિત્રદેહથી આવીને,ભક્તોને એઘરમાં ધુપદીપથી પ્રેરી જાય
પવિત્ર નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,માતાના અનેકદેહને પુંજાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
જીવનમાં માનવદેહને સમય સાચવીને ચાલતા,ના કોઇ તકલીફ થાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે,જીવને ગતજન્મના કર્મથી દેહમેળવાય
આદભુત કૃપાળુ પરમાત્માના દેહ છે,જે માનવજીવનમાં કૃપા મળીજાય
જગતમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય 
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
##########################################################
         
September 15th 2021

ક્રુપા મળે પ્રભુની

++સવારે ઉઠીને કરો આ નાનું કામ, માતા લક્ષ્મીની કૃપા રહેશે, ઘરમાં સુખ અને શાંતિ  આવશે - latest gujarati news++.           
            .કૃપા મળે પ્રભની 

તાઃ૧૫/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવબીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જગતપરના માનવદેહને મળી જાય
પરમાત્માએ કૃપાથી માનવદેહથી જન્મ લીધો,જે ભારતદેશમાં જન્મી જાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવોને પવિત્રરાહે જીવન આપીજાય
માનવદેહ એ કૃપા પ્રભુની જીવપર,જગતપર નાકોઇ દેહથી કદી દુર રહેવાય
આંગણે આવીને પ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
કુદરતની આ પાવનકૃપા હિંદુધર્મમાં,એ મળેલદેહના જીવને પાવન કરી જાય 
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
શ્રધ્ધારાખીનેઘરમાં પ્રભુનીપુંજા કરતા,મળેલદેહના પરિવારપર પ્રભુની કૃપાથાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
પવિત્ર જીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય
જગતપર જન્મમરણનો સંબંધ એ કુદરતનીલીલા,માનવદેહએ પ્રભુની કૃપા થાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
================================================================