September 13th 2021

પ્રેમ પકડીને આવજો

     શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણના કેવી રીતે થાય હતા આઠ પટરાણી સાથે લગ્ન  | હું ગુજરાતી
           .પ્રેમ પકડીને આવજો 

તાઃ૧૩/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ પરમાત્મા જગતમાં,જે મળેલ માનવદેહને અનુભવ આપી જાય
મળેલદેહને સંબંધ કર્મનો એ ભગવાનની કૃપાએ,જીવનમાં સદકર્મ થઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
જગતપર જીવને સમયે જન્મ મળે,માનવદેહ એ અનેકદેહથીજ બચાવી જાય
અવનીપર પ્રાણી પશુ જાનવરથી બચાવી જાય,જ્યાં પરમાત્માની કૃપા થાય
જીવને જગતપર દેહ મળે જે ગતજન્મના દેહથી,થયેલકર્મનો સંબંધ મળીજાય
માનવદેહ મળે જીવને માબાપના પ્રેમથી,જે દેહને કુટુંબનો સંગાથ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય. 
કુદરતની આ લીલા ન્યારી જગતપર,જે પ્રેમ પકડીને પ્રેમાળદેહને મળી જાય
સરળ જીવનની રાહમળે મળેલદેહને,એ જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવીજાય
મળે જીવનમાં પ્રેમાળ પ્રેમીઓનોપ્રેમ,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાય
ના કોઇ અપેક્ષા કે કોઇ માગણી રહે,એ માનવદેહપર પ્રભુની કૃપા થઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
=================================================================
September 13th 2021

જય શિવશંકર

++ametogujarati.com/wp-content/uploads/2021/07/81...++
.           .જય શિવશંકર

તાઃ૧૩/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા પાર્વતીના એ વ્હાલા પતિદેવ છે,જે હિંદુધર્મમાં ભોલેભંડારીય કહેવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો છે,એ ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
હિંદુધર્મમાં અજબ શક્તિશાળી ભગવાન છે,સોમવારે દુધ અર્ચના કરી પુંજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ગંગાનદીને,એજટાથી હિમાલયપર વહાવી જાય
જગતમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવી જાય
એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી ઘરમાંય પુંજા કરાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
પરમપવિત્ર ભગવાન છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ માતાપાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ પાર્વતીમાતાછે જેમનીકૃપાએ,ભાગ્યવિધાતા શ્રીગણેશ સંતાન થાય
શ્રી કાર્તિકેય અને દીકરી અશોલસુદરી,જન્મલઇ ભારતની ધરતીપર આવીજાય
એજ ભક્તોનીશ્રધ્ધાથી થઈરહેલ ભક્તિથી,આશિર્વાદથી મળૅલ જન્મસફળથાય 
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
####################################################################