September 9th 2021
****
. .મળે નિખાલસપ્રેમ
તાઃ૯/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
માનવદેહને જગતપર કર્મની કેડી મળે,નાકોઇજ દેહથી કદીય છટકાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અનેકદેહનોસંબંધ,માનવદેહ પવિત્રકૃપાએ મળે
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર,અને માનવદેહ એ સમયે મળી જાય
ભગવાનનીકૃપાનો અનુભવ ભારતથીથાય,જ્યાં પ્રભુદેહથી જન્મલઈ જાય
મળેકૃપા માનવદેહના જીવને,જે જીવનમાં અનેકકર્મનો સંગાથ આપીજાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ નિખાલસપ્રેમ મળે
પવિત્રપ્રેમમળતા જીવનમાં નાકોઇ,અપેક્ષા કે આશા માનવદેહને અડીજાય
નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો સાથમળે,જેજીવનમાં પવિત્રસુખ આપીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,પાવનરાહે દેહથીજીવન જીવાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
#############################################################
No comments yet.