January 8th 2022
. પરમકૃપાળુ ભગવાન
તાઃ૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,જે જીવનમાં સમયનો સંગાથ મેળવી જાય
જગતપર ના કોઇની તાકાત જીવનમાં,કે ના કોઇથી સમયને છોડીને ચલાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,પરમાત્માની પવિત્રકૃપા સમયે મળીજાય
પવિત્રરાહે જીવનજીવવા નાકોઇ અપેક્ષારખાય,સમયનીસાથે ચાલતા મેળવાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,જ્યાં ઘરમાશ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,સમયે જીવને જન્મમરણ મળી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
લાગણી માગણી એ સમયની સાંકળ,નાકોઇજ મળેલદેહથી કદી દુર રહેવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ભક્તિકરતા પરમકૃપા પ્રભુની મેળવાય
મોહમાયાને દુરરાખવા જીવનમાં ભગવાનને,પ્રાર્થનાકરી વંદન કરતા સમજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને પાવનરાહ આપે,જે જન્મમરણથી છોડી જાય
....એ અદભુત પરમકૃપા પરમાત્માની અવનીપર,જે સમયની સમજણ આપી જાય.
=================================================================
No comments yet.