January 19th 2022
. .આવે કૃપા આંગણે
તાઃ૧૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમશક્તિશાળી ભગવાન છે,જેમને સુર્યનારાયણથી ઓળખાય
અવનીપરના દેહને સવાર મળે જીવનમાં,જે સુર્યદેવના આગમને મેળવાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માની કૃપાછે,જેમની સુર્યદેવથી પુંજા પણ કરાય
જગતપર અબજો વર્ષોથી સવારસાંજ આપે,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સુર્યદેવનીકૃપાએ સમયનીસાથે ચલાય
શ્રધ્ધાથી સવારમાંજ સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃ ના મંત્રથી અર્ચના કરાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર સુર્યદેવને પત્નિ રાંદલમાતાનો પ્રેમમળીજાય,જે પવિત્રસુખઆપી જાય
અદભુત શક્તિશાળી સુર્યદેવછે,જગતમાં પવિત્રસવાર પછીસાંજ આપી જાય
સવારમાંજ પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવને,પગે લાગીને પાણીથીજ અર્ચના કરાય
ભક્તોની પવિત્શ્રધ્ધાથી વંદનકરતા,આંગણે આવી માનવદેહપર કૃપાકરીજાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
###################################################################
No comments yet.