January 20th 2022
. .પ્રેમની પાવનરાહ
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં અનેકરાહે પ્રેમમળે માનવદેહને,જે સમયસાથે ચાલતા સમજાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,એજ પરમાત્માનો કૃપા કહેવાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
લાગણીમાગણીને દુરરાખતા જીવનમાં,પ્રભુકૃપાએ નાકોઇતકલીફ અડીજાય
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધમાનવદેહને,જે પ્રભુકૃપાએ સમયસાથે લઈજાય
પ્રેમમળે પવિત્રસંબંધીઓનો જીવનમાં,એ દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી આવનજાવન મળે,જે પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને કૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવપર,જે મળેલદેહને પ્રેમની પાવનરાહ આપીજાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપામળે,જે જીવને મળેલદેહને ભક્તિકરાવીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
---------------------------------------------------------------
No comments yet.