January 28th 2022
. પરમ શક્તિશાળી
તાઃ૨૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપાળૂ સંગે પરમશક્તિશાળી,શ્રી સુર્યનારાયણદેવ કહેવાય
અવનીપર અબજો વર્ષોથી પ્રત્યક્ષકૃપાળુ,માનવદેહને દર્શન કરાવી જાય.
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
દરરોજ જગતમાં સવારે દર્શન આપે,જે જગતમાં સૌને સવાર મળીજાય
જગતમાં સવાર મળતા જીવને મળેલદેહને,કર્મનીરાહ રોજ મળતી જાય
સુર્યદેવની આ પવિત્રકૃપાછે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જાય
સવારમાં સુર્યદેવને વંદન કરીનેજ,ૐ હ્રીંમ સુર્યાય નમઃથી નમન કરાય
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
પરમપવિત્ર સુર્યદેવના જીવનમાં,જીવનસંગીની રાંદલમાતાની પુંજા કરાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદમળે માનવદેહને,વંદન કરી આરતી થાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જેમના દરરોજ ઘેરથીજ દર્શન કરાઇજાય
માનવદેહપર કૃપાકરી પવિત્ર સુર્યદેવે,ભક્તોને ના મંદીરજવાની જરૂરપડે
.... .એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
################################################################
No comments yet.