February 17th 2022
. જ્યોત પ્રગટી જીવનની
તાઃ૧૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની ભારત દેશપર,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહને સુખઆપીજાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
વિરપુરગામમાં પ્રભુની કૃપાએ જન્મમળ્યો,જે લોહાણાકુળમાં ઓળખાય
રાજબાઇમાતાના સંતાન નેપિતાપ્રધાન કહેવાય,એ શ્રીજલારામ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેરણા મળી,જે જીવનમાં અન્નદાન કરી જાય
જીવનમાં ભુખ્યાને ભોજન આપવાથી,મળેલદેહને પ્રભુનીકૃપા મળી જાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
જીવને જન્મ મળતા દેહથી ઓળખાય,પ્રભુકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવાય
સમયનીસાથે ચાલતા જલારામનેજોવા,પરમાત્મા સમયે વિરપુર આવીજાય
પત્નિ વિરબાઈનો સંગાથ જલારામને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયેપરમાત્મા પરીક્ષાકરવા આવ્યા,માતાવિરબાઈ પ્રભુનીસેવા કરવાગયા
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
#############################################################
No comments yet.