February 17th 2022
. .શ્રધ્ધાનો પવિત્રસંગાથ
તાઃ૧૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંત સાંઇબાબાની કૃપા મળી,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
શ્રધ્ધાઅને સબુરીને સમજાવી જીવનમાં,એ માનવજીવન મહેંકાવીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જે મળેલદેહને સાર્થક કરી જાય
પાથરી ગામમાં જન્મલઈ બાબા,શેરડીગામને પાવનકરવા આવી જાય
પવિત્ર જીવન જીવવા શેરડીમાં,દ્વારકામાઇની સેવા બાબાને મળીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
માનવદેહથી જીવનમાં નાતજાતથી નાદુર રહેવાય,કે ના ધર્મને છોડાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,શ્રધ્ધા અને સબુરીથી પુંજા કરાય
સંત સાંઇબાબાએ માનવદેહને આંગળી ચીંધી,જે જન્મસફળ કરી જાય
પવિત્રકૃપાળુ સંતથયા ભારતદેશમાં,જે જીવનાદેહને પવિત્રપ્રેરણાકરીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.