March 7th 2022
. અપેક્ષાનો સંગાથ
તાઃ૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહ મળતી જાય
મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષાનો સંગાથ અડી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની આલીલા જગતમાંથાય,જે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે કુદરત લઈજાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય,માનવદેહ એકૃપા કહેવાય
જીવને ગતજન્મના દેહના કર્મથી,અવનીપર આગમન વિદાય મેળવાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જન્મમળતા દેહને સમય મળીજાય,જે બાળપણ જુવાની ઘડપણથી મળે
સમયની સાંકળ એ જીવનાદેહને મળે,માનવદેહને એસમજણ આપીજાય
મોહમાયાની ચાદરને દુરરાખીને જીવન જીવતા,અપેક્ષાથીજ બચી જવાય
પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================
No comments yet.